ચમોલી વિનાશને થઈ ગયા છે,14 દિવસ પુરા, અત્યાર સુધીમાં મળી ચૂક્યા છે, 65 લોકોના મૃતદેહ

ચમોલી વિનાશને 14 દિવસ પુરા થઈ ગયા છે.  અત્યાર સુધીમાં 65 લોકોના મૃતદેહ મળી ચૂક્યા છે. જેમાંથી 34 લોકોની ઓળખ થઈ ચૂકી છે.  31 લોકોની લાશની ઓળખ થઈ શકી નથી. આના ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા છે. અત્યારે 142 લોકો ગુમ છે. આફતમાં 12 ગામ અસરગ્રસ્ત થયા છે. જેમાં 465 પરિવારને અસર પહોંચી છે. તમામ જગ્યાએ આવનજાવન, વીજળી, પાણીના વિકલ્પની વ્યવસ્થા ચાલુ કરી દેવામાં આવી છે.

chamoli disaster after 14 days 62 dead bodies recovered 142 still missing

ચમોલી આફતને 14 દિવસ પુરા થઈ ગયા છે. અત્યાર સુધીમાં 65 લોકોના મૃતદેહ મળી ચૂક્યા છે. . અત્યારે 142 લોકો ગુમ છે

180 મીટરની ટર્નલને 145 મીટર સુધી સાફ કરી દેવામાં આવી 

180 મીટરની આ ટર્નલને 145 મીટર સુધી સાફ કરી દેવામાં આવી છે. સતત મળમાં સ્લગના રુપમાં હોવાના અને બેકફ્લોના કારણે ઓપરેશનમાં સમસ્યા થઈ રહી છે. ટર્નલમાંથી પાણી કાઢવા માટે પંપ લગાવવામાં આવ્યા છે. પહેલા પાણીને બહાર કાઢવામાં આવી રહ્યું છે અને પછી ટર્નલમાં કિચડ  હટાવવાનું કામ ચાલી રહ્યું છે

ડિસેલ્ટિંગ ચેમ્બરમાંથી 100થી વધારે લોકોના દબાયેલા હોવાની આશંકા છે. પરંતુ અહીં 15થી 20 મીટર સુધીનું કિચડ છે. જ્યાં સુધી કિચડ સૂકાઈ નથી જતો ત્યાં સુધી અહીં જેસીબી મશીન નાંખી શકાય નહીં.

શુક્રવારે એર ફોર્સના ચોપરના માધ્યમથી અહીં નિર્દેશક જીએસઆઈ, વાડિયા ઈંસ્ટીટ્યૂટના જિયોલોજિસ્ટ, એક સાયન્ટિસ્ટ અને એસડીઆરએફના બે જવાનોને સ્થળ પર મોકલવામાં આવ્યા છે.  આ ટીમ શનિવારે તળાવનું નિરિક્ષણ કરવાની સાથે તેનો અભ્યાસ પણ કરશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.