ચેતેશ્વર પૂજારાએ કર્યો ખુલાસો ,દબાવમાં રમવા માટે તૈયાર નહોતા

હાલમાં જ પૂજારાએ કહ્યું કે તે નકારાત્મક વિચારોને દુર કરવા માટે ધ્યાન અને આધ્યાત્મિક ગુરુઓની સલાહ લે છે.

એક વાર નકારાત્મક વિચારવા પર બધુ જ નકારાત્મક લાગવા લાગે છે. હું ધ્યાન અને યોગનો સહારો લઉ છું અને રોજ પ્રાર્થના કરુ છુ જેનાથી મારા વિચારો સકારાત્મક બની રહે.

ખેલાડીએ વધુમાં કહ્યું કે, એક સમય એવો પણ હતો જ્યારે મને લાગતુ હતુ કે આ દબાવ હું નહી સહન કરી શકું. યુવાવસ્થામાં મારી માતા સામે જઇને રડતો હતો અને કહેતો હતો કે હું આ દબાવમાં ક્રિકેટ નહી રમી શકુ

અત્યાર સુધી 85 ટેસ્ટ મેચમાં 46.59ની ઔસતથી તેમણે 6244 રન બનાવ્યા હતા. તેણે 18 શતક અને 29 અર્ધશતક બનાવ્યા હતા.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.