છેલ્લા 24 કલાકમાં નોંધાયા 1197 પોઝિટિવ કેસ, 17ના મોત, 1047 સ્વસ્થ થયાં

ભારતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે સાથે સાથે ગુજરાતમાં પણ સંક્રમિતોનો આંકડો વધી રહ્યો છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા 24 કલાકમાં નોંધાતા પોઝિટિવ કેસના આંકડાઓ જાહેર કરવામાં આવ્યા.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કુલ 1197 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે અને 17 દર્દીઓના મોત થયાં છે. રાજ્યમાં કુલ 2947 દર્દીઓના મોત થયાં છે. તેમજ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1047 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયાં છે.

આજે નોંધાયેલા કુલ 1197 કેસમાંથી સુરત કોર્પોરેશન એરિયામાં 168 અને જિલ્લામાં 85 કેસ, અમદાવાદ કોર્પોરેશન એરિયામાં 144 અને જિલ્લામાં 19 કેસ, વડોદરા કોર્પોરેશન એરિયામાં 90 અને જિલ્લામાં 34 કેસ, રાજકોટ કોર્પોરેશન એરિયામાં 77 અને જિલ્લામાં 22 કેસ નોંધાયા છે.

રાજ્યમાં નોંધાયેલા કુલ કેસોમાંથી હાલ 86 લોકો વેન્ટિલેટર પર છે. જ્યારે 14,798 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 72,308 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં મૃતકોનો આંકડો 2947 થયો છે.

જિલ્લાઓમાં નોંધાયેલા કેસોની વિગત

 

અમદાવાદ 163
સુરત 253
વડોદરા 124
ગાંધીનગર 43
ભાવનગર 45
બનાસકાંઠા 23
આણંદ 8
રાજકોટ 99
અરવલ્લી 2
મહેસાણા 21
પંચમહાલ 31
બોટાદ 6
મહીસાગર 10
ખેડા 14
પાટણ 21
જામનગર 88
ભરૂચ 29
સાબરકાંઠા 6
ગીર સોમનાથ 16
દાહોદ 19
છોટા ઉદેપુર 8
કચ્છ 24
નર્મદા 12
દેવભૂમિ દ્વારકા 11
વલસાડ 6
નવસારી 7
જૂનાગઢ 29
પોરબંદર 12
સુરેન્દ્રનગર 7
મોરબી 17
તાપી 8
ડાંગ 1
અમરેલી 34

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.