ચીને વુહાનમાં મોતને ભેટેલા લોકોની સંખ્યામાં અચાનક જ કર્યો વધારો.

કોરોના વાયરસને લઈને મોતના આંકડાથી માંડીને બીજી ઘણી વિગતો ચીન છુપાવી રહ્યુ હોવાની માન્યતાને વધારે વેગ મળે તેવુ કામ ચીને કર્યુ છે.

કોરોનાના એપિ સેન્ટર મનાતા વુહાનમાં થયેલા મોતના આંકડામાં ચીને અચાનક જ વધારો કરી દીધો છે. ચીને વુહાનમાં થયેલા મોતની સંખ્યા વધારીને 3869 કરી દીધી છે. ચીને મોતના આંકડામાં 1290નો વધારો કર્યો છે.

ચીનનુ કહેવુ છે કે, આ મોતનો આંકડો ભૂલથી સામેલ કરવાનો રહી ગયો હતો અથવા તો મોતનુ કારણ બીજુ બતાવાયુ હતુ.

  • ચીનમાં હલે મોતનો આંકડો વધારીને 4632 કરવામાં આવ્યો છે. ચીનના સરકારી મીડિયાનુ કહેવુ છે કે, લોકડાઉન ખુલ્યા બાદ વુહાનમાં સરકાર સમીક્ષા કરી રહી છે અને તેના કારણે જે પણ ભૂલ છે તે બહાર આવી રહી છે. કેટલાક મામલા હોસ્પિટલોમાં એટલી બધી ભીડ હતી કે સામે આવ્યા નહોતા. હવે અલગ અલગ મેડિકલ સેન્ટરના આંકડાનુ સંકલન કરવામાં આવી રહ્યુ છે. તેમાં રાહત છાવણીઓના ડેટા પણ સામેલ કરવામાં આવી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.