ચૂંટણી પ્રચારમાં રેલીનો ભાગ બનવાની અફવા,અક્ષય કુમારે રેલીનો ભાગ બનવાની વાતને નકારી

હાલમાં અફવા ફેલાવવા લાગી છે કે અક્ષય કુમાર કોલકત્તામાં છે. તેઓ ચૂંટણી પ્રચાર માટે અહીં પહોંચ્યા છે અને રેલીનો ભાગ બનશે. પરંતુ હાલમાં જ એક્ટરે આ વાતને નકારી છે અને કહ્યું કે આ અફવાઓથી હું પોતે આશ્ચર્યમાં છું.

આ સમયે તેઓ મુંબઈમાં છે અને શૂટિંગમાં વ્યસ્ત છે. પણ ન જાણે ક્યાથી અફવાફેલાવવા લાગી કે અક્ષય કુમાર કોલકત્તામાં છે. તેઓ ચૂંટણી પ્રચાર માટે અહીં પહોંચ્યા છે અને રેલીનો ભાગ બનશે. પરંતુ હાલમાં જ એક્ટરે આ વાતને નકારી છે અને કહ્યું કે આ અફવાઓથી હું પોતે આશ્ચર્યમાં છું.

પીએમ મોદીએ રવિવારે કોલકત્તાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડમાં રેલીને સંબોધન કર્યું હતું ત્યારે અહીં અફવા ફેલાઈ કે અક્ષય કુમાર પણ કોલકત્તામાં ચૂંટણી પ્રચારમાં સામેલ થશે પણ આવું નથી. આ અફવાનું બજાર છે.

અક્ષય કુમારને માટે વર્ષ 2021 ખાસ છે. તેઓ અનેક મોટા પ્રોજેક્ટ્સનો ભાગ છે. તેમની ફિલ્મ સૂર્યવંશી અને બેલ બોટમ આ વર્ષે રીલીઝ થશે. તેમની ફિલ્મ અતંરગી રે પણ આ વર્ષે રીલીઝ થવાની છે. આ સિવાય બચ્ચન પાંડે અને પૃથ્વીરાજ જેવી ફિલ્મોમાં પણ તે જોવા મળી શકે છે. એક્ટરે પોતાની એક વધુ ફિલ્મની ડિટેલ્સ પણ હાલમાં શેર કરી છે

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.