સીએમ વિજય રૂપાણીએ ઉદ્યોગોને લઈ લીધો મહત્વનો નિર્ણય, 34 લાખ લોકોને થશે ફાયદો

સીએમ રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં રાજ્યમાં MSME ઉદ્યોગોને લઈ મહત્વનો નિર્ણયો લેવાયા છે. રાજ્યમાં MSME સેકટરના વિકાસને વધુ પ્રોત્સાહન અને તેજ ગતિ સાથે પારદર્શિતા-રોજગાર સર્જનમાં વૃધ્ધિ થાય તે માટે રાજ્ય સરકારે ઐતિહાસિક નિર્ણય કર્યો છે.

MSME એકમોની સ્થાપના અને સંચાલન માટે જરૂરી વિવિધ મંજૂરીઓ લેવામાંથી ત્રણ વર્ષ સુધી મુકિત આપવામાં આવી છે. તો ડેકલેરેશન ઓફ ઇન્ટેટ રજૂ કર્યા બાદ તરત જ MSME એકમ કાર્યરત થઇ શકશે.

૩ વર્ષની સમય અવધિ બાદ ૬ મહિનામાં જરૂરી પરવાનગીઓ મેળવી લેવાની રહેશે. MSME એકમોને સ્થાપનામાં સહાય અને સહયોગ આપવા રાજ્યકક્ષાએ તેમજ  જિલ્લાકક્ષાએ એમ બે નોડલ એજન્સી ઇન્વેસ્ટર ફેસિલિટેશન એજન્સી તરીકે કાર્યરત કરાશે. MSME સેકટરને ઇઝ ઓફ ડૂઇંગ બિઝનેસની નવી દિશા આપવાના હેતુથી રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો છે.

ગુજરાતમાં હાલ કાર્યરત ૩૪ લાખથી વધુ MSMEનો તેજ ગતિએ વિકાસ તેમજ નવા MSME મોટા પાયે આકર્ષી શકાય તેમજ પારદર્શિતા અને રોજગાર સર્જનમાં વધારો થાય તે હેતુસર આ નિર્ણયો કરવામાં આવેલા છે. 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.