કોમેડિયન ભારતી અને હર્ષને જામીન મેળવવામાં મદદ બદલ નાર્કોટિક્સ બ્યૂરોના બે અધિકારી સસ્પેન્ડ કરાયા

– હાલ મનોરંજન ઉદ્યોગમાં કેફી દ્રવ્યોની તપાસ ચાલુ છેૉ

સ્ટેન્ડ અપ કોમેડિયન ભારતી અને એના પતિ હર્ષને જામીન મેળવવામાં મદદ કરનારા મનાતા નાર્કોટિક્સ બ્યૂરોના બે અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

મુંબઇની એક કોર્ટે નવેંબરની 23મીએ ભારતી અને એના પતિ હર્ષને જામીન આપ્યા હતા. બંનેને પંદર હજાર પંદર હજારના હાથમુચરકા પર મુક્ત કરાયાં હતાં. અત્રે એ યાદ રહે કે અભિનેતા સુશાંત સિંઘ રાજપૂતના અકાળ અવસાનની તપાસ દરમિયાન બોલિવૂડ અને ટેલિવૂડમાં ડ્રગના સેવનનો મુદ્દો નીકળ્યો હતો. નાર્કોટિક્સ બ્યૂરોએ એ દિશામાં પણ તપાસ કરી હતી. દરમિયાન કોમેડિયન ભારતીને ત્યાં ડ્રગ હોવાની જાણકારી મળતાં નાર્કોટિક્સ બ્યૂરોએ  ભારતીને ત્યાં પણ દરોડો પાડ્યો હતો અને ભારતી તથા એના પતિની ધરપકડ કરી હતી.

ભારતીએ જામીન મેળવવા માટે ચાલાકીથી બ્યૂરોના જ બે અધિકારીને સાધ્યા હતા અને કઇ રીતે રજૂઆત કરવાથી કોર્ટ જામીન આપશે એ જાણી લીધું હતું. એ બંનેને જામીન મળ્યા એ દરમિયાન બ્યૂરોને ખબર પડી ગઇ હતી કે તેમના જ બે અધિકારી ફૂટી ગયા હતા. બ્યૂરોએ આ બંનેને સસ્પેન્ડ કર્યા હતા.

ભારતીની જામીન અરજીની સુનાવણી નીકળી ત્યારે આ બંને અધિકારી ભારતી સાથે થયેલી સમજૂતી મુજબ ગેરહાજર રહ્યા હતા એટલે કોર્ટે ભારતી અને એના પતિને જામીન આપી દીધા હતા.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.