કોંગ્રેસના ધારાસભ્યએ અલ્પેશ ઠાકોરને જુઠ્ઠો, ગદાર અને સમાજ દ્રોહી ગણાવ્યો

રાધનપુરની ચૂંટણીમા હવે કોંગ્રેસના ધારાસભ્ય બળદેવ ઠાકોરએ અલ્પેશને જુઠો ગદાર અને સમાજ દ્રોહી ગણાવ્યો છે..સંતાલપુરના લોદ્રા ગામે ચૂંટણી સભામા બળદેવ ઠાકોરે કહ્યુ હતુ કે તારામા તાકાત હોય તો ભાજપના 5 આગેવાનને ટિકિટ અપાવી જો. પછી તારી લાયકાતનો ખ્યાલ આવશે. તેમણે ઉમેર્ય હતુ કે વિરમગામમા 80 હજાર ઠાકોર હતા. છતાં તે ટિકિટ ત્યાં કેમ નહોતી માંગી. રાધનપુરની પ્રજાનો દ્રોહ કરીને ગદારી કરી છે. હું એને એટલા માટે ઓળખું છુ કે તે મારા વેવાઈ પક્ષનો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.