કોરોનાને હરાવવા મે ઘણા કડક નિર્ણય લીધા, તે માટે દેશવાસીઓની માફી માગુ છુ: PM મોદી

PM મોદીએ આજે મન કી બાતમાં કોરોના વાઈરસ વિશે કહ્યુ કે સૌથી પહેલા હુ દેશવાસીઓની માફી માગુ છુ.

કેટલાક એવા નિર્ણય લેવા પડ્યા છે જેના કારણે ઘણી મુશ્કેલી પડી રહી છે. કેટલાક લોકો મારાથી નારાજ પણ હશે, હુ આપની મુશ્કેલી સમજુ છુ, મારી પાસે કોરોના વિરૂદ્ધની લડતમાં આ સિવાય કોઈ અન્ય માર્ગ નહોતો.

દુનિયાની સ્થિતિ જોઈને લાગે છે કે બસ આ એક જ રસ્તો બચ્યો છે. આપને જે પણ મુશ્કેલી પડી છે. તે માટે માફી માગુ છુ. બાદમાં રોગ અસાધ્ય થઈ જાય છે. કોરોના વાઈરસે દુનિયાને કેદ કરી દીધો છે. દરેકને પડકાર આપી રહ્યો છે. આ વાઈરસ માણસને ખતમ કરવાની જિદ કરી બેઠો છે. તેથી સૌને એક થઈને સંકલ્પ લેવો જ પડશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.