કોરોનાને લઈ ગુજરાત માટે ખુબ જ ચિંતાજનક સમાચાર, પોઝિટીવ કેસ વધીને 73 થયા

વૈશ્વિક મહામારી કોરોનાનો કહેર ગુજરાતમાં યથાવત જ છે. ત્યારે કોરોનાને લઇ ગુજરાત માટે ચિંતાજનક સમાચાર આવ્યા છે. કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 73 થઈ ગઈ છે. આજે બે નવા કેસ નોંધાયા છે. તેમાં અમદાવાદમાં 1 લોકલ ટ્રાન્સમિશન છે અને ગાંધીનગર અને અમદાવાદની 32 વર્ષની મહિલા કેસ છે. બે વેન્ટિલેટર પર બાકી બધા સ્ટેબલ છે અને 5 જણાને રજા આપવામાં આવી છે, ટોટલ ક્વોરેન્ટાઈન 18 હજાર લોકો છે.

741 લોકો સરકારી ક્વોરેન્ટાઈન પર છે. ટોટલ પાંચ લોકોને ડીસ્ચાર્જ કરાયા છે. ડીસ્ચાર્જ થયેલા લોકોમાં 3 લોકો 60 વર્ષથી ઉપરના છે. સાથે જ અમદાવાદ અને સુરતની 21 વર્ષની મહિલાને ડીસ્ચાર્જ કરવામાં આવી છે. વિદેશથી આવેલા 32 કેસ, આંતરરાજ્યના 4 કેસો , 37 કેસ લોકલ ટ્રાન્સમિશનના છે. સુરત, ભાવનગર, વડોદરા અને રાજકોટમાં ચિંતા સાથે કડક લોકડાઉનમાં કરાયું છે. 24 કલાક માટે 4 નિષ્ણાંતોની ટીમ ઉપલબ્ધ છે. હાઉસ ટુ હાઉસમાં સર્વેમાં ખૂબ જ સારી કામગીરી થઈ રહી છે. 6 કરોડ 50 લાખ લોકો સર્વેલન્સ થયો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.