કોરોના લોકડાઉનને પગલે ભારતીય અર્થતંત્રને કુલ 9 લાખ કરોડનું નુકસાન થવાનો અંદાજ

કોરોનાને કારણે ભારતીય અર્થતંત્રને 120 અબજ ડોલર(9 લાખ કરોડ રૂપિયા)નું થશે એટલે કે જીડીપીના 4 ટકા જેટલુ નુકસાન થશે તેમ નિષ્ણાતોએ એક નિવેદનમાં જણાવ્યું છે. નિષ્ણાતોએ વિકાસનો અંદાજ ઘટાડી દીધો છે અને તાત્કાલિક નાણાકીય પેકેજ જાહેર કરવાની માગ કરી છે.

ઉલ્લેખનીય છે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા(આરબીઆઇ) ચાલુ નાણાકીય વર્ષની પ્રથમ દ્વિ માસિક નાણાકીય નીતિની સમીક્ષા ત્રણ એપ્રિલના રોજ જાહેર કરશે. ઉલ્લેખનીય છે કે ગઇકાલે વડાપ્રધાન મોદીએ સમગ્ર દેશમાં 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરી છે.

બ્રિટિશ બ્રોકરેજ બાર્કલેસના જણાવ્યા અનુસાર કોરોના વાઇરસને કારણે ભારતીય અર્થતંત્રને 120 અબજ ડોલર એટલે કે જીડીપીના ચાર ટકાનું નુકસાન થશે.

તેના જણાવ્યા અનુસાર માત્ર 21 દિવસના લોકડાઉનને જ કારણે દેશના અર્થતંત્રને 90 અબજ ડોલરનું નુકસાન થશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.