કોરોના શંકાસ્પદ દર્દીએ હોસ્પિટલના સાતમા માળેથી માર્યો મોતનો કુદકો

 

કોરોનાના એક શંકાસ્પદ દર્દીએ હોસ્પિટલના સાતમા માળેથી પડતુ મુકીને આત્મહત્યા કરી લીધી છે.

મળતી વિગતો પ્રમાણે બુધવારે મધરાતે દિલ્હીના સફદરગંજ હોસ્પિટલના આઈસોલોલેશન વોર્ડમાં દાખલ કરાયેલા આ યુવાને બળજબરથી વોર્ડનુ બારણુ ખોલીને પડતુ મુક્યુ હતુ.

આ યુવાન એક વર્ષથી ઓસ્ટ્રેલિયાના સિડની શહેરમાં રહેતો હતો. બુધવારે ભારત પાછા ફરેલા યુવાને દિલ્હી એરપોર્ટ પર માથામાં દુખાવો હોવાની ફરિયાદ કરી હતી.એ પછી તેને સફદરગંજ હોસ્પિટલમાં રાતે નવ વાગ્યે મોકલવામાં આવ્યો હતો.

હોસ્પિટલના સાતમા માળે બનાવાયેલા આઈસોલેશન વોર્ડમાં તેને રાખવામાં આવ્યો હતો.જયાંથી તેણે મોતનો ભૂસકો માર્યો હતો. હોસ્પિટલમાંથી નિકળી રહેલા એક ડોક્ટરે તેને જોઈને હોસ્પિટલમાં જાણ કરી હતી અને બાદમાં પોલીસને પણ બોલાવવા પડ્યા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.