કોરોના વાઇરસના 100 દિવસ : પ્રતિમિનિટે એક મૃત્યુ અને 667 લોકોને સંક્રમણ

આજથી લગભગ 100 દિવસ અગાઉ દુનિયાને નવા કોરોના વાઇરસ વિશે જાણ થઈ હતી, જેને અત્યારે નોવલ કોરોના વાઇરસ કે કોવિડ-19 તરીકે ઓળખવામાં આવે છે.

તેની શરૂઆત ચીનથી થઈ અને 100 દિવસમાં તો જાણે કે દુનિયાની સ્થિતિ બદલાઈ ગઈ.

આ 100 દિવસમાં દુનિયામાં આ વાઇરસને કારણે 95,745 લોકોનાં મૃત્યુ થયા છે. આ આંકડાને જો પ્રતિદિવસ ગણીએ તો દુનિયામાં છેલ્લા 100 દિવસમાં દરરોજ સરેરાશ 957 લોકોનાં મૃત્યુ થયા.

વિશ્વ આરોગ્ય સંગઠનને કોરોના વાઇરસના 100 દિવસની પૃષ્ટિ કરી છે.

જીવન અને મરણ વચ્ચે પળ વારનું અંતર હોય છે એવું સામાન્ય રીતે લોકજીવનમાં માનવામાં આવે છે અને એ વાતને છેલ્લા 100 દિવસમાં કોરના વાઇરસ સાચી સાબિત કરી રહ્યો છે.

આંકડો સતત વધી રહ્યો છે 100 દિવસમાં દુનિયામાં થયેલા મૃત્યુને કલાકમાં ગણીએ તો પ્રતિકલાકે સરેરાશ 40 લોકોનાં મોત થયા છે.

આમ એક મિનિટમાં એક મૃત્યુની સરેરાશથી દુનિયા ખાસ દૂર નથી અને 16 લાખ લોકો દુનિયામાં સંક્રમિત છે.

સંક્રમણનો આંકડો જોઈએ છેલ્લા 100 દિવસમાં પ્રતિદિવસ 16028 લોકો સંક્રમિત થયા છે યાને પ્રત્યેક કલાકે 667 લોકો સંક્રમિત થયા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.