કોરોના વાઇરસ : ‘સરકારની નજરમાં અમારી જિંદગીની કિંમત માત્ર 30 રૂપિયા’

કોરોના વાઇરસ સામેની લડાઈમાં ડૉક્ટરોની જેમ ઘણાં આશાવર્કરોને પણ આખા દેશમાં કામે લગાડાયાં છે.

આશાવર્કરો ગામ અને શહેરોમાં ઘરેઘરે જઈને પરિવારના એક-એક સભ્યની સ્વાસ્થ્ય સંબંધિત જાણકારી એકઠી કરે છે.

આ દરમિયાન કર્ણાટક અને મહારાષ્ટ્રમાં આશાવર્કરો પણ હુમલા પણ થયા છે.

એક એવો પણ રિપોર્ટ આવ્યો છે કે આશાવર્કરોના હાથ પર હોમ ક્વૉરેન્ટીનનો સિક્કો જોતાં ગામમાંથી બહાર જવા કહેવાયું હતું.

આશાવર્કરો કોરોના સંકટના આ સમયમાં કેવીકેવી પરિસ્થિતિઓમાં કામ કરવા મજબૂર છે એ જાણવાની અમે કોશિશ કરી.

ગ્રામીણ કે શહેરી વિસ્તારમાં કામ કરતાં આશાવર્કરોને દરરોજ 25 ઘરોમાં જઈને સર્વે કરવો જરૂરી હોય છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.