કોરોના વાઈરસ: સંયુક્ત સચિવના નેતૃત્વમાં કેન્દ્રની ટીમ કરશે ગુજરાતની મુલાકાત

– ગુજરાત સિવાય મહારાષ્ટ્ર અને તેલંગણામાં પણ જશે, અધિકારીઓને મળશે

 

કોરોના વાઈરસનો પ્રકોપ ઓછો થવાનું નામ નથી લઈ રહ્યો. દરરોજ હજારોની સંખ્યામાં લોકો સંક્રમિત થઈ રહ્યાં છે. જો કે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય પ્રમાણે રિકવરી રેટ 57.42 પર પહોંચ્યો છે. છેલ્લા 24 કલાકમાં 13,012 દર્દીઓ સ્વસ્થ થયા છે. અત્યાર સુધીમાં કુલ 271,696 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.

ગત 24 કલાકમાં 16,922 નવા કેસ સામે આવ્યા છે અને 418 લોકોના મોત થયાં છે. તે બાદ દેશભરમાં કોરોના પોઝિટિવ કેસોની કુલ સંખ્યા 473,105 થઈ છે. જેમાંથી 186,514 એક્ટિવ કેસ છે. અત્યાર સુધીમાં 14,894 લોકોના મોત થઈ ચુક્યા છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલના નેતૃત્વમાં એક કેન્દ્રીય ટીમ 26-29 જુન દરમિયાન ગુજરાત, મહારાષ્ટ્ર અને તેલંગણાની મુલાકાત કરશે. આ ટીમ રાજ્યોના અધિકારીઓ સાથે વાતચીત કરશે અને કોરોના પર નિયંત્રણ માટે સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી કરવામાં આવી રહેલા પ્રયાસો મજબૂત કરવા માટે તેમની સાથે સમન્વય કરશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.