કોરોનાકાળની પહેલી દિવાળીએ મહાનગરોમાં ચિંતાવધારી, રાજ્યમાં આજે નોંધાયા આટલા કેસ

 

કોરોનાકાળની આ પહેલી દિવાળી છે અને તહેવારોની સિઝનમાં સંક્રમણે રફ્તાર પકડી છે. તહેવારોની ખરીદી માટે બજારોમાં ખાસ્સી ભીડ જોવા મળતી હતી અને તેના લીધે સંક્રમણ વધવાનો ભય વર્તાય રહ્યો હતો. રાજ્યમાં મહાનગરોએ ફરી ચિંતા વધારી છે. દરરોજ નોંધાતા પોઝિટિવ કેસોની સંખ્યામાં ઉછાળો આવી રહ્યો છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નોંધાયેલા કોરોનાના પોઝિટિવ કેસના આંકડા જાહેર કરવામાં આવ્યા.

રાજ્યમાં કોરોના વાયરસના છેલ્લા 24 કલાકમાં 1124 નવા કેસ નોંધાયા છે. જેની સામે 995 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે 06 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3,797 પર પહોંચી ગયો છે. ગુજરાતમાં આજ દિવસ સુધીમાં કુલ 1,70,931 લોકોને સાજા થતા રજા આપવામા આવી છે.

આજે સમગ્ર ગુજરાતમાં કુલ 52,973 ટેસ્ટ કરવામાં આવ્યા છે તો આજ દિવસ સુધીમાં સમગ્ર ગુજરાતમાં કુલ 67,87,440 લોકોના ટેસ્ટ કરવામા આવ્યા છે. રાજ્યનાં જુદા જુદા જિલ્લાઓમાં કુલ 4,95,933 લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. જેમાંથી 4,95,819 લોકોને હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે તો 114 લોકોને ફેસીલીટી ક્વોરન્ટીનમાં રાખવામાં આવ્યા છે.

આજે નોંધાયેલા કુલ 1124 કેસમાંથી સુરત કોર્પોરેશન એરિયામાં 143 અને જિલ્લામાં 42 કેસ, અમદાવાદ કોર્પોરેશન એરિયામાં 198 અને જિલ્લામાં 17 કેસ, વડોદરા કોર્પોરેશન એરિયામાં 100 અને જિલ્લામાં 35 કેસ, રાજકોટ કોર્પોરેશન એરિયામાં 96 અને જિલ્લામાં 48 પોઝિટિવ કેસ નોંધાયા છે.

રાજ્યમાં નોંધાયેલા કુલ કેસોમાંથી હાલ 71 લોકો વેન્ટિલેટર પર છે. જ્યારે 12,441 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 1,70,931 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં મૃતકોનો આંકડો 3797 થયો છે. રાજ્યમાં રિકવરી રેટ 91.29% છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.