કોરોનાની ગાઈડલાઈનનું કરાશે પાલન,જાણો કોણ અને કેવી રીતે કરી શકશે અમરનાથની યાત્રા

દ. કાશ્મીરમાં હિમાલય સ્થિત અમરનાથની ગુફા તીર્થસ્થળને માટે વાર્ષિક તીર્થયાત્રા માટે રજિસ્ટ્રેશન 1 એપ્રિલથી શરૂ થવા જઈ રહ્યું છે. એક અઘિકારીએ શનિવારે આ જાણકારી આપી છે.

આ ગુફા મંદિર 3880 મીટરની ઉંચાઈ પર છે. આ માટે 56 દિવસીય યાત્રા પહેલગામ અને બાલટાલ માર્ગથી 28 જૂનથી શરૂ થશે અને 22 ઓગસ્ટે સમાપ્ત થશે.

1 એપ્રિલથી શરૂ થતા રજિસ્ટ્રેશન માટે 316 પંજાબ નેશનલ બેંક, 90 જમ્મૂ કાશ્મીર બેંક અને 40 યસ બેંકની વ્યવસ્થા છે. તેઓએ કહ્યું છે કે રજિસ્ટ્રેશન માટે અરજીપત્ર અને બેંકની શાખાની રાજ્યવાર સૂચિની સાથે બોર્ડની વેબસાઈટ પર તમામ માહિતી છે.

રજિસ્ટ્રેશનને માટે જે નિયમોનું પાલન કરવાનું છે તેને વિશે જાણકારી બોર્ડની વેબસાઈટ પર આપવામાં આવી છે. તેમાં આધાર શિવિર સુધી પહોંચવાની પ્રાસંગિક જાણકારી, રજિસ્ટ્રેશનને માટેની ફી, ટટ્ટૂ, પાલખી અને પોર્ટર્સને માટેની ફી પણ સામેલ છે. કુમારે કહ્યું છે કે 13 વર્ષ કે તેનાથી ઓછી 75 વર્ષની આયુના લોકો 6 અઠવાડિયાથી વધારે ગર્ભવતી સ્ત્રીઓ આ વર્ષની યાત્રા માટે કોરોનાના માપદંડ અનુસાર રજિસ્ટ્રેશન કરી શકશે નહીં.

આ માટે અલગ પરમિટ લેવાની રહેશે. તેઓએ એમ પણ કહ્યું છે કે જે તીર્થયાત્રી હેલિકોપ્ટરથી યાત્રા કરી રહ્યા છે તેઓએ રજિસ્ટ્રેશનની જરૂર રહેશે નહીં તેમને તેમની ટિકિટ જ પૂરતી છે.

જમ્મૂના ઉપાયુક્ત અંશુલ ગર્ગે કહ્યું કે યાત્રી નિવાસ અને યાત્રીઓના રહેવા માટે આસપાસ ઓળખ કરાયેલા સ્થાનો અને સ્વચ્છ અને ગ્રીનરી બનાવી રાખવાના આદેશ અપાયા છે

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.