કોરોનાથી પીડિત હતા જરનેલ સિંહ,કોરોનાની સારવાર દરમિયાન સિંહનું નિધન

ઉલ્લેખીય છે કે કોરોનાથી પીડિત થતા જરનેલ સિંહને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમનું મોત થયુ. ઉલ્લેખનીય છે કે તત્કાલીન ગૃહમંત્રી પી ચિદમ્બરમ પર જુતુ ફેંકી જરનેલ સિંહ ચર્ચામાં  આવ્યા હતા. આ બાદ જ તેમણે આમ આદમી પાર્ટીની ટિકીટ પર ચૂંટણી લડી હતી અને જીત્યા હતા.

સીએમ કેજરીવાલે ટ્વીટ કરી લખ્યુ- દિલ્હીના પૂર્વ ધારાસભ્ય જરનેલ સિંહના સમય પહેલા નિધનથી ભારે દુઃખ થયુ છે. ભગવાન તેમની આત્મને શાંતિ આપે. સમાજમાં તેમના યોગદાનને લઈને તેમને હંમેશા યાદ કરવામાં આવશે

કેજરીવાલ સરકારના મંત્રી મનીષ સિસોદિયાએ જરનેલ સિંહના નિધન પર દુઃખ વ્યક્ત કર્યુ.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.