સી.આર. પાટીલની ઉપસ્થિતીમાં ક્ષત્રીય ઠાકોર સેનાના જિલ્લા પ્રમુખ સમર્થકો સાથે ભાજપમાં જોડાયા

ક્ષત્રીય ઠાકોર સેનાના પાટણ જિલ્લાના પ્રમુખ જીભાજી ઠાકોર તેમના સમર્થકો સાથે ભાજપમાં જોડાયા હતા.

આ કાર્યક્રમમાં ક્ષત્રીય ઠાકોર સેનાના પાટણ જિલ્લાના પ્રમુખ જીભાજી ઠાકોર તેમના સમર્થકો સાથે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સાહેબની ઉપસ્થિતિમાં ખેસ અને ટોપી ઘારણ કરી ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત રીતે જોડાયા. આ કાર્યક્રમમાં પુર્વ મંત્રી જયનારાયણભાઇ વ્યાસ અને બળવંતસિંહ રાજપુતે પ્રાસંગીક સંબોધન કર્યુ હતું.
પાટીલ એ આ દરમિયાન જણાવ્યું કે, ગુજરાત મોડલના આઘારે દેશના લોકોએ નરેન્દ્રભાઇને મોદી સાહેબને પ્રઘાનમંત્રી બનાવ્યા છે અને આજે દેશની જનતા કહે છે કે મોદી એક બાર નહી બાર બાર. આ વિઘાનસભાની ચૂંટણીમાં ભાજપના દરેક ઉમેદવારને ભવ્ય મતોથી જીતાડવાના પ્રયત્નો કરવાના છે. ભાજપ જનતાને કયારેય ખોટા વચનો આપતી નથી. ભારતીય જનતા પાર્ટી જે કહે છે તે કરે છે. કોગ્રસ પર પ્રહાર કરતા જણાવ્યું કે, વિઘાનસભા ચૂંટણી આવી એટલે જાહેર સ્થળો પર બેનર લગાવે છે કે કોંગ્રેસનું કામ બોલે છે પણ કોંગ્રેસનું કામ નહી કારનામું બોલે છે. કોંગ્રેસના કારનામાથી લોકો વાફેક છે. દેશને નુકશાન કર્યુ છે કોંગ્રેસે એટલે તેને સજા કરજો. કોંગ્રેસ હવે પ્રાદેશીક પાર્ટી છે, પરિવારની પાર્ટી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.