દારૂબંધી હટાવો જેથી સારી ક્વોલિટીનો દારૂ મળે અને મોત ન થાય : ભાજપના આગેવાનનું હાસ્યાસ્પદ નિવેદન

અગાઉ ભાજપના કાર્યકર હાથમાં દારૂની બોટલ સાથે શેખી મારતા ઝડપાયા હતા. ત્યારે હવે ભરૂચમાં ભાજપના આગેવાન અને ગુજરાત સરકારમાં પ્રધાન પદે રહી ચુકેલા ખુમાનસિંહ વાંસિયાએ દારૂબંધી હટાવવાની માંગ કરી છે. તેઓએ દારૂના કારણે મોત થાય છે. ત્યારે સારી ગુણવત્તાનો દારૂ મળે તે માટે દારૂબંધી હટાવવાની માંગ કરી છે. દારૂની બનાવટમાં જૂની બેટરી,યુરિયા અને નાના બાળકોનું મૂત્ર વપરાય છે.તેમ પણ ખુમાનસિંહે કહ્યુ છે.

ઉલ્લેખનીય છે કે ઘણા સમયથી ગુજરાતમાં દારૂબંધી મુદ્દે સરકાર નિષ્ફળ પૂરવાર થઈ છે. અગાઊ પણ રાજસ્થાન બોર્ડરથી ગુજરાતમાં પ્રવેશતા દારૂના ટ્રકો પકડાયા હતા અને પકડાય છે. ત્યારે દારૂબંધીના લીરેલીરા ઉડ્યા છે. આ વચ્ચે ભાજપના આગેવાન દ્રારા આપવામાં આવેલું નિવેદન ચર્ચાસ્પદ અને હાસ્યાસ્પદ સાબિત થઈ રહ્યું છે. કારણ કે એક તરફ ગુજરાત સરકાર સદંતર દારૂબંધી હોવાની વાત કરી રહી છે ત્યારે બીજી તરફ ભાજપના જ નેતાઓ દારૂબંધીના નામે ચીથરા ઉડાવી રહ્યાં છે.

વિધવા બનતી બહેનો માટે હટાવવા કરી માગ

શું ગુજરાતમાં દારૂબંધી છે? શું ગુજરાતમાં દારૂબંધીના કાયદાનો કડકાઈથી અમલ થાય છે ? અને જો થાય છે કે દારૂ પીવાય છે કેમ અથવા તો ગુજરાતમાં ઘુસે છે ક્યાંથી? કે પછી ગાંધીના ગુજરાતમાં એવો દારૂ બને છે જે યુવાધનને બરબાદ રહ્યો છે. પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાંસિયાએ ફરી એક વખત દારૂ બંધી હટાવવાની માગ કરી છે. રાજ્યની રેવન્યુ વધે એટલા માટે નહીં પરંતુ યુવા વયે બહેનોને વિધવા બનતી અટકાવવા માટે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.