દિલ્હીમાં છેલ્લા 3 દિવસથી ફેલાયેલી હિંસા અટકવાનું નામ ના લેતાં સોનિયા ગાંધીએ પીએમ મોદી અને અમિત શાહની ઝાટકણી કાઢી, અમિત શાહનું માગ્યું રાજીનામું

 

બુધવારે પ્રેસ કોન્ફરન્સ કરીને સોનિયા ગાંધીએ દિલ્હીમાં ફેલાયેલી હિંસા માટે સીધા અમિત શાહને જવાબદાર ઠેરવ્યા છે. આ સાથે એમનું રાજીનામુ પણ માગ્યું છે. આ સમયે સોનિયા ગાંધીએ દિલ્હી હિંસા પર મોદી સરકારને 5 સવાલ પૂછ્યા છે.

રવિવારે દેશના ગૃહમંત્રી ક્યાં હતા અને શું કરી રહ્યાં હતા.

દિલ્હીની ચૂંટણી બાદ ઇન્ટલિજન્સ એજન્સીએ શું ઇનપુટ આપ્યા

રવિવારે રાતે કેટલી પોલીસ ફોર્સ હિંસાગ્રસ્ત વિસ્તારોમાં બંદોબસ્તમાં મૂકાઈ,જ્યારે એ સ્પષ્ટ હતું કે હિંસા વધુ ફેલાવાની છે.

દિલ્હીમાં હાલત બેકાબૂ બની ગઈ પોલીસના કંટ્રોલથી બહાર સ્થિતિ ગઈ હોવા છતાં વધુ સુરક્ષાદળો કેમ તૈનાત ન કરાયા

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.