દિલ્હી હિંસામા તાહિર હુસૈનના મામલે પોતાના નિવેદનથી પલટી ગઈ ખુદ પોલીસ જ

દિલ્હીના હુલ્લડ અંગે આરોપી તાહિર હુસૈન અંગે આપેલા નિવેદન પરથી દિલ્હી પોલીસ ફરી ગઈ છે.

પહેલાં દિલ્હી પોલીસે એવું નિવેદન આપ્યું હતું કે હુસૈનને રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા, જોકે બાદમાં પૂર્વોત્તર દિલ્હીના ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસે આ વાતને નકારી કાઢી છે.

ત્રણ ટ્વીટ દ્વારા તેમણે જણાવ્યું કે તા. 24 અને 25 ફેબ્રુઆરી દરમિયાન પોલીસ તેમના ઘરે પહોંચી ત્યારે તેઓ ઘરે જ હતા. તા. 26મી ફેબ્રુઆરીએ ઇન્ટેલિજન્સ બ્યૂરોના કર્મચારી અંકિત શર્માની હત્યાના કેસમાં તેમને આરોપી બનાવવામાં આવ્યા છે અને તેમને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

બીજી બાજુ, તાહિર હુસૈને દિલ્હીની કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી છે.

ઉલ્લેખનીય છે કે દિલ્હીના એડિશનલ કમિશનર ઑફ પોલીસ અજિત કુમાર શિંગલાએ કહ્યું હતું કે તા. 24-25ની મધ્યરાત્રિ દરમિયાન કેટલાક લોકોએ અમને જણાવ્યું હતું કે કૉર્પોરેટર તાહિર હુસૈન ફસાઈ ગયા છે અને અસલામતી અનુભવે છે, ત્યારે તેમને લેનમાંથી બચાવવામાં આવ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.