દિલ્હી હિંસા મુદ્દે રાહુલ ગાંધી સહિત કોંગ્રેસ નેતાઓએ સંસદ પરિસરમાં કાળી પટ્ટી બાંધીને દેખાવ કર્યા, ‘ગૃહ મંત્રી રાજીનામું આપો’ના નારા લગાવ્યા 

સંસદ સત્રના બીજા તબક્કાનો પાંચમો દિવસ પણ હોબાળા ભરેલો રહ્યો હતો. રાજ્યસભામાં વિપક્ષે ભારે હોબાળો કર્યો, જેના કારણે સભાપતિ વેંકૈયા નાયડૂએ 11 માર્ચ સુધી ગૃહની કાર્યવાહી સ્થગિત કરી દીધી હતી. આ પહેલા રાહુલ ગાંધી સહિત કોંગ્રેસ નેતાઓએ ગાંધીજીની પ્રતિમા સામે દેખાવ કર્યા હતા. ‘ગૃહ મંત્રી રાજીનામુ આપો’અને ‘દિલ્હીને ન્યાય આપો’ના નારા લગાવ્યા હતા.કોંગ્રેસ સહિત વિપક્ષ દિલ્હી હિંસા પર ગૃહમાં ચર્ચાની માંગ કરી રહ્યા છે. કોંગ્રેસ વિપક્ષ સતત દિલ્હી હિંસા પર ચર્ચાની માંગ કરી રહ્યો છે. સંસદીય કાર્યમંત્રી પ્રહ્લાદ જોશી 11 માર્ચે લોકસભા અને 12 માર્ચે રાજ્યસભામાં દિલ્હી હિંસા પર ચર્ચા કરાવવાની વાત કહી ચુક્યા છે. 2 માર્ચથી શરૂ થયેલા સત્રમાં સતત કાર્યવાહીમાં અડચણો આવી રહી છે.

શુક્રવારે કોંગ્રેસના ગુલામ નબી આઝાદ અને સપાના રામગોપાલ યાદવે રાજ્યસભા અને કોંગ્રેસના અધીર રંજન ચૌધરી અને કે. સુરેશે લોકસભા સ્થગન પ્રસ્તાવ આપ્યો હતો. તો બીજી તરફ BJD ઓરિસ્સાના પૂર્વ મુખ્યમંત્રી બીજૂ પટનાયકને ભારત રત્ન આપવાની માંગ કરી રહ્યો છે. જેના માટે શૂન્યકાળમાં ચર્ચા કરાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.