દેશમાં કોરોનાની બીજી લહેરે, સંક્રમણ અને મોતના તમામ જૂના આંકડાઓના રેકોર્ડ,તોડી દીધા છે

વિશેષમાં ભારતમાં કુલ સંક્રમિતોની સંખ્યા સોમવારે દોઢ કરોડને પાર થઈ ગઈ છે. એક્ટિવ કેસો પણ 20 લાખની આસપાસ છે. મહારાષ્ર્eની સ્થિતિ સૌથી વધુ ચિંતા કરાવનારી છે.

સોમવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 2,73,810 નવા (Corona Positive Cases) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 1,619 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,50,61,919 થઈ ગઈ છે.

24 કલાકમાં 1,44,178 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં 19,29,329 એક્ટિવ કેસો છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ 1,78,769 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.

નોંધનીય છે કે રવિવારના 24 કલાકમાં 13,56,133 સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.