દેશનો પ્રથમ શુદ્ધ એર પ્યૉરિફાયર ટાવર સુરતમાં લગાવવામાં આવે તેવી શક્યતા

શહેરમાં દિવસેને દિવસે પ્રદુષણ વધી રહ્યું છે, ત્યારે સૌથી વધુ વાયુ પ્રદુષણ છે. જેને નિયંત્રણ કરવા માટે ચીનની પેટર્ન પર સુરતમાં પણ એર પ્યોરિફાયર ટાવર બનાવવાની તૈયારી કરવામાં આવી રહી છે. ક્લીન એન્વાયરમેન્ટ રિસર્ચ સેન્ટર આઈઆઈટી દિલ્હી અને એસવીએન આઈટી એર પ્યોરિફાયર લગાવવાની તૈયારી કરી રહ્યા છે. જો આ ટાવર તૈયાર થાય છે તો દરરોજ એક લાખ લોકોને શુદ્ધ હવા મળી શકશે.

હવાનું પ્રદુષણ દેશમાં મોટી સમસ્યા બની રહ્યું છે. ત્યારે સુરતમાં હવામાંથી પ્રદુષણ દૂર કરવા માટે એક એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં હવાને શુદ્ધ કરવા માટે ચાઈનામાં એક ટાવર બનાવવામાં આવ્યુ છે, તેવું જ ભારતમાં અને તે પણ સુરત ખાતે બનાવની ત્યારી કરવામાં આવી રહી છે. આ ટાવર 500 મીટર જગ્યામાં 10 મીટર પહોળો અને 24 મીટર ઉંચો ટાવર હશે, તેમાં 25 હોર્સ પાવરના મશીન લગાવવામાં આવશે. જેમાં 30 હજાર ક્યૂબિક મીટર હવા રોજ શુદ્ધ થઈ શકે છે. સુરત શહેરમાં પહેલાથી જ એમિશન ટ્રેડિંગનું કામ ચાલી રહ્યું છે. ત્યારે આઈઆઈટી દિલ્હીના પ્રોફેસર મુકેશ ખરે પોતાની ટિમ સાથે ચાઈના ગયા હતા. પ્યોરિફાયર ટાવરનો સર્વે કર્યો છે. તે ટાવરને બનાવનાર યુનિવર્સિટી ઓફ મિનેસાટાના પ્રોફેસર ડો. ડેવિડ પુઈનો સંપર્ક કરવામાં આવ્યો છે અને આગામી દિવસમાં તે સુરત આવવાના છે ત્યારે આ ટીમે સુરત SVNITના ક્લીન એન્વાયરમેન્ટ રિસર્ચ સેન્ટરના વૈજ્ઞાનિક ડો. આરઈ ક્રિસ્ચિયસે આ પ્રોજેક્ટ વિષે વાત કરી સુરત ખાતે સેમિનાર કર્યો હતો.

જોકે આ ટાવરની ખાસિયત જોઈએ તો એર પ્યોરિફાયર ટાવર પોતાની ચારે તરફની પ્રદુષિત હવાને ખેંચી તેને શુદ્ધ કરે છે. સૌથી નાનો ટાવર લગભગ 5 કરોડ રૂપિયાના ખર્ચે બને છે, અને જો મોટો ટાવર બનાવામાં આવે તો 8 કરોડમાં ત્યાર થાય છે. જોકે હાલમાં આ પ્રયોજેકની ચર્ચા થઈ રહી છે અને આગામી દિવસમાં જો ટાવર ત્યાર થાય તો આ ટાવર ભારતનો પહેલો ટાવર બનશે.

જો આ ટાવરની ખાસિયત જાણીયે તો, પ્યોરિફાયર ટાવરને હવામાન વિભાગ સાથે પણ જોડવામાં આવશે. જેથી હવા અને વાતાવરણમાં પલટાનો સાચો ડેટા મળી શકે. દિવસમાં ટાવરને ચલાવવા માટે સોલાર પેનલ લગાવવાની પણ યોજના છે. મોબાઈલ વાનમાં પણ નાનો એર પ્યૂરીફાયર ટાવર લગાવવાની યોજના છે. જે અલગ અલગ જગ્યાઓ પર ફરીને હવા શુદ્ધ કરવાનું કામ કરશે. એર પ્યોરિફાયરનો ચીમની જેવો આકાર હશે. જેમાં નીચે પંખાઓ લગાવવામાં આવશે. જે ટાવરના આસપાસના વિસ્તારમાંથી હવા ખેંચવાનું કામ કરશે. ત્યારબાદ ટાવરમાં અલગ અલગ લેવલના ફિલ્ટર લગાવવામાં આવશે. જેમાંથી ટાવર દ્વારા ખેંચવામાં આવેલી હવાને ગરમ કરીને પસાર કરવામાં આવશે. જેથી હવા શુદ્ધ થઈ જશે. સુરતમાં બનાવવામાં આવનાર ટાવરમાં રોજનું 30 હજાર ક્યુબિક મીટર હવા શુદ્ધ થશે. જેનાથી 1 લાખ લોકોને લાભ થશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.