નાસિક-શિરડી હાઇવે પર શ્રદ્ધાળુઓને નડ્યો અકસ્માત, બસ ટ્રક સાથે અથડાઈ જેમાં 10નાં મોત; 35 ઘાયલ

મહારાષ્ટ્રમાં શુક્રવારે સવારે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, નાસિક-શિરડી હાઈવે પર મુંબઈથી શિરડી આવી રહેલી એક પ્રવાસી બસની ટક્કર થઈ હતી. આ બસમાં કુલ 45 મુસાફરો હતા. 10ના ઘટનાસ્થળે જ મોત થયા હતા. મૃતકોમાં 7 મહિલાઓ અને 3 પુરૂષોનો સમાવેશ થાય છે. તે જ સમયે, અકસ્માતમાં 35 લોકો ઘાયલ થયા હતા. તમામ ઘાયલોને નજીકની સાંઈબાબા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને ઘાયલોમાં કેટલાકની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.

ઘટનાની જાણકારી મળતા જ પોલીસ અને પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. અકસ્માતના કારણોની તપાસ કરવામાં આવી રહી છે. આ બસ મુંબઈના અંબરનાથથી મુસાફરોને લઈને શિરડી દર્શન માટે જઈ રહી હતી. આ અકસ્માત સિન્નર-શિરડી હાઈવે પર આવેલા પાથેર ગામ પાસે થયો હતો. ઘટનાસ્થળે હાજર લોકોના જણાવ્યા અનુસાર ટક્કર એટલી જોરદાર હતી કે બસ અને ટ્રક બંનેને નુકસાન થયું હતું અને હજુ સુધી મૃતકોની ઓળખ થઈ શકી નથી. પોલીસ ઘટનાસ્થળે હાજર છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.