ધર્મજ્યોતિષ : જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ??

મેષ: યોગ્ય દિશામાં પ્રયત્નો ચાલુ રાખવા દરેક કામગીરીનું ફળ મળતું જણાય અને ધાર્મિકતા બાજુ વળશો.

વૃષભ: આત્મવિશ્વાસ પ્રબળ બને, જીવનના નવા માર્ગ મોકળા બને અને કાર્યક્ષેત્રમાં ધીરજથી કામ લેવું.

મિથુન: અવિશ્વાસ અને નકારાત્મકતામાંથી બહાર આવશો, શાંતિ અનુભવ થશે.

કર્ક: મનમાં ચાલતા પ્રશ્નોમાંથી મુક્ત થઇ શકો અને પોતાના લક્ષ્યાંક પ્રાપ્ત કરી શકશો.

સિંહ: કોઇ એક ક્ષેત્રમાં લક્ષ્યાંક નિશ્ચિત કરીને ઘારેલી સફળતા મેળવી શકો અને યોગ્ય નિર્ણય લેવો.

કન્યા: લાગણીને કોઇ ઠેસ ન પહોંચાડી જાય તેનું ધ્યાન રાખવું, મનદુખના પ્રસંગ બને.

તુલા: ધારેલી સફળતા મેળવી શકશો અને નાની-મોટી બીમારી આવે પણ ઘર્મબાજુ વળતા તેમાંથી છુટકારો મળે.

વૃશ્વિક: સમસ્યાઓનો હલ હવે તમારી નજીક છે અને અગત્યના કામોમાં પ્રગતિ જણાય.

ધન: લક્ષ્યાંકની પ્રાપ્તી અને પોતાના જીવનમાં આવતા અવરોધો દૂર થાય,તેમજ જીવનમાં સાનુકુળતા વધે.

મકર: અંતકરણમાં દબાયેલી સંવેદનાઓને વ્યકત કરી તેમાંથી છૂટકારો મેળવી શકશો અને પરિસ્થિતિ બદલાશે.

કુંભ: અસફળતા અને નિરાશાઓમાંથી બહાર આવી અને સફળતાની સીડી ચઢી શકશો.

મીન: સહન શકિતનો અંત આવી ગયો છે, અને હવેના દિવસોમાં પરિણામ સારા મળે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.