દિવાળી બાદ રૂપાણી સરકારની વધશે મુશ્કેલી, આ 50 હજાર કર્મચારીઓએ લીધો આ નિર્ણય

સમગ્ર રાજ્ય સહિત આણંદ જિલ્લામાં ૫૦  હજાર કરતા વધુ કર્મચારીઓ એમજીવીસીએલમાં ફરજ બજાવી રહ્યા છે. છેલ્લા ઘણાં સમયથી આ કર્મચારીઓ દ્વારા સાતમા વેતન પંચની અમલવારી પછી મળવાપાત્ર લાભો સહિત એલાઉન્સ, એચઆરએ તથા વધી ગયેલા કાર્યબોજનો જીએસઓ ૪ મુજબ ખુટતો સ્ટાફ મંજુર કરવા સહિતની માંગણી સાથે અવાર-નવાર ઉચ્ચકક્ષાઓ સુધી રજૂઆતો કરવામાં આવી હોવા છતાં સરકાર દ્વારા દુર્લક્ષ સેવવામાં આવતા ગુજરાત વિદ્યુત કામદાર સંઘ તથા જીઈબી એન્જીનીયર એસોસીએશન દ્વારા ગુજરાત ઉર્જા વિકાસ નિગમના મેનેજીંગ ડીરેક્ટરને નોટીસ આપી આગામી તા.૧-૧૧-૨૦૧૯થી હડતાલનું એલાન કરવામાં આવ્યું છે.

આ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર સમગ્ર રાજ્ય સહિત આણંદ જિલ્લામાં ૫૦ હજાર કરતા વધુ વીજ કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે. પરંતુ છેલ્લા ઘણાં સમયથી આ વીજ કર્મીઓ દ્વારા તંત્ર સામે સાતમા વેતન પંચની અમલવારી પછી મળવાપાત્ર લાભો સહિત અન્ય વિવિધ માંગણીઓ જેવી કે એલાઉન્સ, એચઆરએ, વધી ગયેલ કાર્યબોજની સામે ડિસ્કોમ કંપનીઓમાં જીએસઓ ૪ મુજબ ખુટતો સ્ટાફ મંજુર કરવા તેમજ જેટકો કંપનીના હાલના સ્ટાફ સેટઅપને રીવાઈઝ કરી વધારવા તેમજ મેડીકલ સ્કીમની રજાનો પગાર રોકડમાં આપવા સહિતના લાભોની રજૂઆત ૨૦૧૮થી કરવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.