દિવાળી મનાવવા જૈસલમેરના લોંગેવાલા પહોંચ્યા પીએમ નરેન્દ્ર મોદી, 1971ના ભારત પાક યુદ્ધ સ્થાને સૈનિકોનો જુસ્સો વધાર્યો

દર વર્ષની જેમ વડા પ્રધાન નરેન્દ્ર મોદી આ વર્ષે પણ બોર્ડર પર તૈનાત સૈનિકો સાથે દિવાળીની ઉજવણી કરી રહ્યા છે. પીએમ નરેન્દ્ર મોદી રાજસ્થાનની જૈસલમેર બોર્ડર પર પહોંચી ગયા છે. પીએમ મોદી સાથે સીડીએસ બિપિન રાવત, આર્મી ચીફ એમએમ નરવાણ, એર ચીફ માર્શલ આરકેએસ ભદૌરીયા અને બીએસએફના ડીજી રાકેશ અસ્થાના પણ છે.

 

 

જૈસલમેરની લોંગેવાલા બોર્ડર પરબીએસએફ સાથે દીપાવલીની ઉજવણી
જણાવી દઈએ કે, ભારત-પાકિસ્તાન સરહદ જૈસલમેરમાં મળી છે. અહીં બોર્ડર પર બીએસએફ તહેનાત છે. સુપ્રસિદ્ધ તનોટ માતાનું મંદિર પણ અહીં છે. વડા પ્રધાન જૈસલમેરના લોંગેવાલા બોર્ડર પર બીએસએફ જવાનો સાથે દીપાવલીની ઉજવણી કરી રહ્યા છે. લોંગેવાલા મૂળભૂત રીતે બીએસએફની એક પોસ્ટ છે.


1971ના યુદ્ધમાં 120 સૈનિકોના પરાક્રમને હજુય પાકિસ્તાનને ઉંઘમાં દેખાય છે
જણાવી દઈએ કે લોંગેવાલા દેશના લશ્કરી ઇતિહાસમાં મહત્વનું સ્થાન ધરાવે છે. આ તે જગ્યા છે જ્યાં 1971 માં ભારત પાકિસ્તાનનું ભયંકર યુદ્ધ થયું હતું.આ યુદ્ધમાં ભારતીય સેનાએ પાકિસ્તાનીઓ પર જે કહેર વર્તાવ્યો હતો, તેને પાકિસ્તાન હજી ભૂલી શક્યું નથી.

4 ડિસેમ્બર 1971 ના યુદ્ધમાં લોંગેવાલા પોસ્ટ પર તૈનાત 120 ભારતીય સૈનિકોએ 40થી 45 ટેન્કોનો કબ્જો કરવા આવેલા 3000 પાકિસ્તાની સૈનિકોને જે હાર આપી હતી તે ઈતિહાસ બની ગઈ છે. લોંગેવાલા ચોકીને કબજે કરવાના દુષ્ટ પ્રયાસમાં પાકિસ્તાનીઓએ તેમની 34 ટેન્કો, પાંચસો વાહનો અને બસો જવાન ગુમાવવા પડ્યા હતા, પરંતુ આ ચોકી અજેય રહી ગઈ હતી.


પીએમ મોદી 2019 માં રાજૌરીમાં દિવાળી મનાવી હતી
ગયા વર્ષે 27 ઓક્ટોબર 2019 ના રોજ પીએમ નરેન્દ્ર મોદીએ જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં સૈનિકો સાથે દિવાળીની ઉજવણી કરી હતી. આર્મી ડ્રેસમાં પીએમ મોદી જવાનો વચ્ચે પહોંચ્યા હતા અને તેમની વચ્ચે મીઠાઇ વહેંચવામાં આવી હતી. આ પહેલા 2018 માં, પીએમ મોદી ઉત્તરાખંડની ઉત્તરાકાશી વચ્ચે આર્મી અને આઇટીબીપી જવાનો વચ્ચે દિવાળીની ઉજવણી કરી હતી.

વડાપ્રધાન બન્યા બાદ પીએમ મોદીએ પહેલી દિવાળી સિયાચીનમાં મનાવી હતી. તો 2015માં પીએમ મોદીએ પંજાબ સરહદે જવાનો સાથે દિવાળીની ઉજવણી કરી હતી. જ્યારે 2016માં તેઓએ હિમાચલ પ્રદેશનાં ઈન્ડો-તિબ્બત બોર્ડર પર જવાનો વચ્ચે પહોચ્યા હતા. તો 2017માં જમ્મુ કાશ્મીરનાનાં ગુરેજમાં જવાનો સાથે દિવાળી મનાવી હતી પીએમ મોદીએ દીવાળીના પર્વે દેશવાસીઓને અપીલ કરી છે કે તેઓ એક દીવો સીમા પર તૈનાત જવાનોને નામે પ્રગટાવે. પીએમ નરેન્દ્રમોદીએ ટ્વીટ કરીને સૈનિકોના જોમ જુસ્સાને બિરદાવ્યો હતો.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.