ઉત્તર પ્રદેશના પ્રયાગરાજના નૈનીમાં હચમચાવી દેતો બન્યો છે બનાવ,એક યુવાન દંપતીએ કરી લીધો છે આપઘાત

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ (Prayagraj news)ના નૈનીમાં હચમચાવી દેતો બનાવ બન્યો છે. અહીં એક યુવાન દંપતી એ આપઘાત કરી લીધો છે. ઘરના રૂમમાંથી બંનેનો લટકતી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે.

પોલીસે રૂમનો દરવાજો તોડીને મૃતદેહને નીચે ઉતાર્યાં હતા અને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યા હતા. અહીં 28 વર્ષીય શિવમ ઉર્ફે અભિષેક કેસરવાની અને તેની 25 વર્ષીય પત્ની નેહા નો મૃતદેહ ફાંસીએ લટકતી હાલતમાં મળી આવ્યો હતો.

ડાંડી બજાર નિવાસી શંકરલાલ કેસરવાનીના બે પુત્રમાંથી શિવમ ઘરની નજીક જ કપડાંની દુકાન ધરાવતો હતો. આઠમી ડિસેમ્બરના રોજ શિવમના લગ્ન શ્યામલાલની પુત્રી નેહા સાથે થયા હતા. બે માળના મકાનમાં શિવમ અને નેહા ઉપરના માળે રહેતા હતા.

બાદમાં બારીમાંથી જોયું તો બંને ફાંસીએ લટકી રહ્યા હતા. જે બાદમાં પરિવારના સભ્યોએ બૂમાબૂમ કરી મૂકી હતી. આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. નેહાના પિયરના લોકો પણ આવી ગયા હતા. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ઘરનો દરવાજો તોડ્યો હતો.

નેહા અને શિવમનું વર્તન પણ બરાબર હતું. નેહાએ તેના પરિવારના લોકો સાથે વાતચીત પણ કરી હતી. પોલીસનું પણ કહેવું છે કે નેહાના પરિવારના લોકોએ પણ કોઈ આક્ષેપ નથી લગાવ્યો. આ મામલે હાલ પોલીસ તપાસ કરી રહી છે. તપાસ બાદ જ આપઘાતનું કારણ સામે આવશે. જોકે, જ્યારે બંનેના પોસ્ટ મોર્ટમ બાદ મૃતદેહ ઘરે આવ્યા ત્યારે યુવક અને યુવતીના પરિવારજનો વચ્ચે મારામારી થઈ હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.