સુરતમાં પોલીસની મારથી વોચમેનના મોત થયાનો પરિવારનો આરોપ… તપાસ કરવા માંગ.

આરોપીઓને પોલીસ કસ્ટડીમાં માર મારવાના અનેક આક્ષેપો સુરત પોલીસ સામે થયા છે કેટલાંક કિસ્સોમાં નિદોષ લોકોને પણ માર મારવામાં આવતો હોય છે. જેમાં તે વ્યકિતનો મોત થયું હોવાની ધટના પણ બની છે. ત્યારે વધુ એક વખત સુરતની વરાછા પોલીસ સામે ગંભીર આક્ષેપો લાગ્યો છે.

જોકે સારવાર દરમિયાન વોચમેનનું મોત થતાં હવે પરિવારે ન્યાયની માંગણી કરી છે. સુરતના નવાગામ ડીંડોલી ખાતે આવેલ મહાદેવનગરમાં રહેતાં સતીષ રાજેન્દ્ર તોમરે પોલીસ કમિશ્નર ને અરજી કરી હતી કે તેમના કાકા શિવસિંગ વરાછા ખાતે એક કંપનીમાં નોકરી કરતાં હતાં.

શિવસિંગ ત્યાર પછી પોતાનાં મોબાઈલ અને ૫ હજાર રોકડા લેવા માટે વરાછા પોલીસ સ્ટેશનમાં ગયા હતાં અને પોલીસ કસ્ટડીમાં હતાં.

ડોકટરોએ તેમના માથાની નસ ફાટી જવાથી બ્રેઈન હેમરાજ થયું હોવાનું જણાવ્યું હતું. આ સાથે જ તેમને માર મારવાથી ઈજા થઈ હોવાનું જણાવ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.