ફરી એક વખત પત્ની કિંજલ પટેલે કર્યો પતિનો બચાવ, ‘હાર્દિક અંગે ભાજપનો શું ઇરાદો છે’

કોંગ્રેસ નેતા હાર્દિક પટેલની પત્ની કિંજલ પટેલે વધુ એકવાર ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતા એક ટ્વીટ કરી હતી. કિંજલે આજે કરેલી ટ્વીટમાં લખ્યું હતું કે, પ્રદેશની 6 કરોડ જનતાને ગાંધી અને સરદારના ગુજરાતને મજબૂત કરવાનું કામ કર્યું છે. ગુજરાતની અસ્મિતા અને જનતાના અસ્તિત્વને બચાવવા માટે હાર્દિક પટેલ લડાઇ લડી રહ્યો છે. આ ગુજરાત જનતાનું છે, ભાજપના બાપની જાગીર નથી.

કિંજલે અન્ય એક ટ્વીટમાં 5 ફેબ્રુઆરીએ લખ્યું હતું કે, છેલ્લા ચાર વર્ષમાં ભાજપાના કહેવા પર ગુજરાત પોલીસે હાર્દિક પર અગણિત કેસ લગાવ્યા. ભાજપાનો ઇરાદો હાર્દિકને સક્રિય રાજનીતિથી દૂર રાખવાનો અને ન્યાયપાલિકાની પ્રક્રિયાથી પરેશાન કરવાનો છે. હાર્દિકની ઉંમર ફક્ત 26 વર્ષ છે. શું શોષિતો માટે લડવું હાર્દિકનો ગુનો છે?

કિંજલે વધુમાં લખ્યું હતું કે, સાડા ચાર વર્ષની લડાઈમાં હાર્દિક ને શું મળ્યું? અમે તો ધારાસભ્ય પણ નથી બન્યા, અમે કરોડપતિ પણ નથી બન્યા. ફક્ત બન્યા છીએ તો તમારા અપમાનના શબ્દો બન્યા છે. જુના બધા કેસોમાં અત્યારે હાર્દિક તથા અમારો પરિવાર ખૂબ પરેશાનીનો સામનો કરી રહ્યો છે. અમે તમને એવું નથી કહેતા કે અમારી સાથે ઉભા રહો કેમ કે જે લોકો માને છે, જે લોકો સમજે છે એવા લાખો લોકો અમારી સાથે છે. એક વાત કહીશ આજે અમે પરેશાનીનો સામનો કરીએ છે, કાલે તમે કરશો અમે મજબૂત છીએ એટલે સહન કરી રહ્યા છીએ તમે કરશો કે નહીં તે સૌથી મોટો ચિંતાનો વિષય છે. પણ એક વાત ચોક્કસ કહીશ કે મરવાનું તો એક વખત છે જ પરંતુ વારંવાર મરી શકે એવો પરિવાર અમારો નથી. મજબૂતીથી લડીશું, રાષ્ટ્રને પ્રેમ કરીએ છે એ અને એટલા માટે અન્યાયની સામે બોલીએ છીએ.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.