પ્રદુષણ માટે ખેડૂતો જવાબદાર નથી , વાહનો , બાંધકામ વગેરે છે

દિલ્હી (DELHI) અને આસપાસના રાજ્યોમાં (STATE) વાયુ પ્રદુષણ (AIR POLLUTION) ખતરનાક સ્તરે પહોંચતા તાકીદે મહત્વના પગલાં લઇ સમસ્યા ઉકેલવા સુપ્રીમ કોર્ટે (SUPREME COURT) કેન્દ્ર તેમજ દિલ્હી સરકારને (GOVERNMENT DELHI) આદેશ આપ્યા છે.

ચીફ જસ્ટિસ એન.વી.રમન્નાનાં વડપણ હેઠળની બેંચે આ મામલે સોમવારે કેન્દ્ર તેમજ દિલ્હી સરકારને ફટકાર લગાવી અને મંગળવાર સાંજ સુધીમાં આ મામલે જવાબ રજૂ કરવા ફરમાન કર્યું હતું. પ્રદૂષણ ઓકતા વાહનો તેમજ પાવર પ્લાન્ટ સામે કડક પગલાં લેવા કહ્યું હતું.

કોર્ટે કેન્દ્ર અને જણાવ્યું હતું કે દિલ્હી , પંજાબ , હરિયાણા અને યુપી સરકારની મંગળવારે સંયુક્ત મિટિંગ યોજીને સમસ્યાનો ઉકેલ લાવો. બીજી તરફ દિલ્હી સરકારે કોર્ટને કહ્યું હતું કે અમે દિલ્હીની સાથે અન્ય રાજ્યોમાં લોકડાઉન માટે તૈયાર છીએ.

તો જ આ પરિસ્થિતિ કાબૂમાં આવશે. કોર્ટ દ્વારા કેસની વધુ સુનાવણી ૧૪મી બુધવારે હાથ ધરવામાં આવશે. દિલ્હીમાં આગામી દિલ્હીમાં આગામી ત્રણ દિવસ પણ પ્રદૂષણ ની પરિસ્થિતિ ખરાબ રહેશે અને લોકોને દૂરનું જોવામાં મુશ્કેલી સર્જાઈ શકે તેવું રહેવાના સંકેત સ્થાનિક તંત્ર દ્વારા આપવામાં આવ્યાં હતાં.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.