રાજકોટ ગ્રીનલેન્ડ ચોકડી પાસે ખાનગી બસમાંથી યુવકનો મૃતદેહ મળતાં ચકચાર જાણો વિગતવાર….

રાજકોટમાં ખાનગી બસમાંથી શંકાસ્પદ હાલતમાં યુવકને મૃતદેહ મળતાં ચકચાર મચી ગઈ છે જેને લઈને ડીસીપી પ્રવિણ કુમાર મીનાએ બસમાં જઈને તપાસ કરી હતી. એફ.એસ.એલ અને ડોગ સ્કવોડને બોલાવવામા આવી છે અને યુવાનમાં ગાળાના ભાગે બ્લેડના ચેકા મારેલા જોવા મળ્યા હોવાથી હત્યાની દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે.

સુરતથી જામજોધપુર જતી ક્રિષ્ના ટ્રાવેલ્સની બસમાંથી રાજકોટની ગ્રીનલેન્ડ ચોકડી પરથી યુવકને મૃતદેહ મળ્યો છે અને બસ નંબર જીજે-24-એક્સ-2641 નંબરની બસમાં સીટ નંબર એફ પરથી આ યુવકનો મૃતદેહ મળ્યો છે જેમાં મૃતકનું નામ પ્રવિણ વાઘેલા હોવાનું સામે આવ્યું છે.

બસમાંથી મૃતહેદ મળ્યા બાદ સીસીટીવીની પણ તપાસ કરવામાં આવી હતી અને આ ઉપરાંત જે જગ્યા ઉપર બસ ઉભી રહી ત્યાં પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે. રાત્રિના 11:30 બાદ બનાવ બન્યાની પ્રાથમિક વિગત સામે આવી છે. ઉપરાંત બસની અંદર રહેલા મુસાફરોની પણ પૂછપરછ કરવામાં આવશે અને હાલ બસને બી ડિવિઝન લઈ જવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.