વડતાલ મંદિર દ્નારા તૈયાર કરાયા ફૂડ પેકેટ.

તાઉતે વાવાઝોડાથી અસરગ્રસ્તો માટે સંતો અને હરિભક્તો દ્વારા ભોજન તૈયાર કરાયું

નડિયાદ – રાજ્યમાં તાઉતે વાવાઝોડાના પગલે અનેક વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો છે. ભારે પવનનથી નુકસાન પહોંચ્યું છે. વડતાલ સ્વામિનારાયણ મંદિર દ્વારા સંતો અને હરિભક્તોની મદદથી સ્થળાંતરિત કરાયેલા અને અસરગ્રસ્ત લોકો માટે ત્રણ હજારથી વધુ ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવ્યાં હતા.

ખેડા જીલ્લા પ્રસિદ્ધ તીર્થ વડતાલ મંદિર દ્વારા તાઉ તે વાવાઝોડામાં અસરગ્રસ્તોના ભોજનની વ્યવસ્થાના ભાગરૂપે તાત્કાલિક ધોરણે રસોડું શરૂ કરી દેવામાં આવ્યું છે. સોમવાર રાતથી અત્યાર સુધીમાં મસાલા પુરી , ગાંઠિયા અને મીઠાઈ સાથે પ્રસાદરૂપ ભોજનના પેકેટ તૈયાર કરવાની કામગિરિ શરૂ છે. અત્યારે ત્રણેક હજાર ફુડ પેકેટ તૈયાર થઈ ગયા છે. મંદિર અને સત્સંગીઓએ સહિયારો પુરુષાર્થ કરીને સેવાનો લાભ લીધો છે.

ડો સંત સ્વામી મુખ્યકોઠારીશ્રીએ જણાવ્યું હતું કે, આ સેવાનો અવસર છે. જે જેટલું કરી શકે તે તેનું સૌભાગ્ય કહેવાય . વડતાલ સંસ્થા આવા સેવા કાર્યોને સૌભાગ્ય માને છે. અમારા આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજના આશીર્વાદ અને ચેરમેનશ્રી દેવપ્રકાશ સ્વામીના માર્ગદર્શન પ્રમાણે અમે આ સેવાઓ કરીએ છીએ . આજે સેવકોને પૂ નૌતમપ્રકાશદાસજી સ્વામી – સત્સંગ મહાસભા પ્રમુખશ્રી, પૂ ગોવિંદપ્રસાદ સ્વામી – મેતપુરવાળા વેગેરે સંતોએ સેવા કરતા સેવકોને પ્રેરણાબળ પુરૂ પાડ્યું હતું . શ્યામવલ્લભ સ્વામી અને મુનિવલ્લભ સ્વામીએ સમગ્ર વ્યવસ્થા સંભાળી હતી. એમ વડતાલ મંદિરની યાદીમાં જણાવ્યું હતું .

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.