ગણતરીની કલાકોમાં સૂર્ય કરશે પાપી ગ્રહના નક્ષત્રમાં પ્રવેશ, આ 3 જાતકો કરિયરમાં કરશે પ્રગતિ, થશે ધનલાભ..

સૂર્ય નક્ષત્ર પરિવર્તન

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ગ્રહોના રાજા સૂર્ય દર મહિને રાશિ પરિવર્તન કરે છે. સૂર્યના રાશિ પરિવર્તનની અસર દરેક રાશિના જાતકોના જીવનમાં પડે છે. સૂર્ય એક ચોક્કસ સમય બાદ રાશિ પરિવર્તન કરવાની સાથે નક્ષત્ર પરિવર્તન પણ કરે છે. સૂર્ય આશરે 14 દિવસમાં નક્ષત્ર પરિવર્તન કરે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ સમયે સૂર્ય આશ્લેષા નક્ષત્રમાં બિરાજમાન છે. તો 16 ઓદસ્ટે તે મધા નક્ષત્રમાં પ્રવેશ કરશે. કેતુના નક્ષત્રમાં જવાથી કેટલાક જાતકોને લાભ મળશે તો કોઈ રાશિના લોકોએ સાવચેતી રાખવી પડશે. આવો જાણીએ સૂર્યના મધા નક્ષત્રમાં જવાથી કયાં જાતકોને લાભ મળશે.

દૃક પંચાગ અનુસાર સૂર્ય 16 ઓગસ્ટે સાંજે 7 કલાક 53 મિનિટ પર મધા નક્ષત્રમાં પ્રવેશ કરશે. મધા નક્ષત્ર 27 નક્ષત્રોમાંથી 10મું નક્ષત્ર હોય છે. આ નક્ષત્રના સ્વામી કેતુ અને રાશિ સિંહ છે. આ સાથે 16 ઓગસ્ટે સૂર્ય પોતાની સ્વરાશિ સિંહમાં પ્રવેશ કરશે. તેવામાં કેટલાક જાતકોને વિશેષ લાભ મળવાનો .

મેષ

મેષ રાશિના જાતકો માટે સૂર્યનું કેતુના નક્ષત્રમાં જવું લાભકારી સાબિત થઈ શકે છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને સફળતા મળી શકે છે. આ સાથે સંતાનના શિક્ષણને લઈને પરેશાન દંપત્તિને રાહત મળી શકે છે. તમારા અટવાયેલા કામ પૂરા થઈ શકે છે. આ સાથે તમને કરિયરમાં ખુબ લાભ મળી શકે છે. પરિવારની સાથે સારો સમય પસાર થશે. નોકરી કરનાર જાતકોના કામની પ્રશંસા થશે. આ સાથે ઉચ્ચઅધિકારી તમારા કામથી પ્રસન્ન થઈ શકે છે. વેપારમાં ખુબ લાભ મળશે. નવા લાભમાં વધારો થઈ શકે છે. મિત્રોનો સહયોગ પણ મળશે. તમે દરેક ક્ષેત્રમાં સફળતા હાસિલ કરી શકો છો. સાહસ અને આત્મવિશ્વાસમાં વધારો થશે. સમાજમાં માન-સન્માન વધશે.

તુલા રાશિ

આ રાશિના જાતકો માટે સૂર્યનું મધા નક્ષત્રમાં જવું લાભકારી સાબિત થઈ શકે છે. આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે. તમારા દ્વારા કરવામાં આવેલા પ્રયાસોમાં હવે સફળતા મળી શકે છે. આ સાથે આત્મવિશ્વાસ અને સાહસમાં વધારો થશે, જેનાથી તમે દરેક કામ કરવાની સાથે સફળતા હાસિલ કરી શકો છો. બિઝનેસમાં કોઈ નવી ડીલ કે ઓર્ડર મળી શકે છે. બિઝનેસમાં પ્રગતિ સાથે તમને ધનલાભ મળશે. જીવનસાથી સાથે શાનદાર સમય પસાર કરશો. તમારો સંબંધ પહેલાથી વધુ મજબૂત થઈ શકે છે. આર્થિક સ્થિતિની વાત કરીએ તો કમાણીના નવા માર્ગ ખુલશે. તમને અચાનક ધનલાભ પણ થઈ શકે છે. આ સાથે તમે બચત કરવામાં પણ સફળ થશો.

વૃશ્ચિક રાશિ

આ રાશિના જાતકો માટે સૂર્યનું મધા નક્ષત્રમાં જવું ભાગ્યશાળી સાબિત થઈ શકે છે. આ રાશિના જાતકોને વિદેશ જવાની તક મળી શકે છે. તેવામાં તમે ખુબ કમાણી કરવામાં સફળ થઈ શકો છો. ઉચ્ચ શિક્ષણ માટે તમને સ્કોલરશિપ મળી શકે છે. નોકરી કરનાર જાતકોના જીવનમાં પણ સકારાત્મક પ્રભાવ પડવાનો છે. તમારા કામની પ્રશંસા થશે. વરિષ્ઠ અધિકારીઓ અને સહયોગીઓનો સહયોગ પ્રાપ્ત થશે, જેની મદદથી તમે તમારૂ લક્ષ્ય હાસિલ કરી શકો છો. જો તમે ભાગીદારીમાં વેપાર કરી રહ્યાં છો તો બિઝનેસ પાર્ટનરનો સહયોગ મળશે, જેનાથી વધુ લાભ થશે.

આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.