ઘઉંના પાકમાં આગ લાગતા બની દુર્ઘટના,પાક બચાવવા જતા ખેડૂતે જીવ ગુમાવ્યો

એક તરફ મહામારી ચાલી રહી છે. નોકરી ધંધા ઠપ્પ છે. ખેડૂતોનો પાક પણ તૈયાર થઈને પડ્યો છે પણ કોઈ લેવાલ નથી. ગયા વર્ષે  પણ આ સમયે જ લોકડાઉન લાગી ગયુ હતુ ત્યારે ખેડૂતોનો તૈયાર મોલ પાણીમાં વેચાયો હતો ત્યારે હવે જેતપુરથી એક માઠા સમાચાર સામે આવ્યા છે.

જેતપુરના દેવકી ગલોળ ગામના ખેડૂતનું સળગી જવાથી મૃત્યુ થયું છે. ઘઉંના પાકમાં કોઇ કારણસર આગ લાગતા દુર્ઘટના બની હતી. ખેતરમાં સળગી રહેલા પાકને બચાવવા જતા ખેડૂતે પોતાનો જીવ ગુમાવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.