ગુજરાત સહિત દેશના તમામ રાજ્યો ના ખૂણે ખૂણે હવાઇ સેવાઓ જોડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. ત્યારે હવે ગુજરાતના ભાવનગર જિલ્લા થી દિલ્હી અને દિલ્હીથી મુંબઇ માટે ઉડાન શરૂ કરવામાં આવશે. નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા ગુરુવારે કહ્યું કે,ગુજરાતના ભાવનગર જિલ્લા થી દિલ્હી અને મુંબઇ માટે ૨૦ ઓગસ્ટ થી પહેલીવાર દરરોજ ઉડાનોનું સંચાલન શરૂ થશે.
જ્યોતિઆદિત્ય સિંધિયાએ આ ટ્વિટ કરીને,નવી દિલ્હી થી ભાવનગર વચ્ચે ૨૦ ઓગસ્ટથી પહેલીવાર દરરોજ ઉડાન નું સંચાલન થશે. જેને કારણે ભાવનગરના નાગરિકો માટે દિલ્હી અને મુંબઈ વચ્ચે સરળતાથી યાત્રા સરળ થશે.પણ આ માર્ગ પર કઈ વિમાન કંપનીઓ ઉડાન નું સંચાલન કરશે એ જણાવ્યું નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.