જન્માષ્ટમીનાં પવઁને લઈને એક ભકત તો ભગવાન કૃષ્ણ માટે તૈયાર કરાવ્યું પારણું.. અરે જાણો તો ખરા પણ એ પારણું શેનું છે..

હવે જન્માષ્ટમીનો તહેવાર નજીક આવી રહયો છે, કૃષ્ણનાં ભક્તો જન્માષ્ટમીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. બજારમાં પણ ખરીદી માટે લોકોની રોનકમાં જોવા મળી રહી છે. ભકતો ભગવાનનાં કપડાંથી લઈને વસ્તુઓ તૈયાર કરી રહયાં છે. સુરતમાં પણ ચાંદીનાં પારણાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે.

સુરતમાં આવા એક કૃષ્ણ ભકતે જન્માષ્ટમી માટે ૦૫ કિલો વજનનું ચાંદીનું પારણું તૈયાર કરાવ્યું છે. રાજસ્થાની કારીગરો દ્નારા આ ખાસ પારણું તૈયાર કરવામાં આવ્યું છે.

હાલમાં ચાંદીનાં ભાવમાં ધટાડો થયો હોવાને કારણે બજારમાં રુપિયો ૫૦૦ થી લઇને ૫ લાખ સુધીનાં અલગ – અલગ પારણાં મળી રહ્યાં છે.

આમ આ વર્ષે સુરતમાં ચાંદીના પારણાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. મહત્વનું છે કે લોકો ચાંદીનું પારણું બનાવળાવી પોતાના પૈસાનું રોકાણ પણ કરી રહ્યાં છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.