ગોંડલ: અંડરબ્રિજમાં બસ અથડાતા કંડકટર સહીત 11 મુસાફરો ઘાયલ

ગોંડલ માટે જોખમી સાબીત બનેલા આશાપુરા અંડર બ્રીજ મા જામેલા કીચડ ની અંદર સ્લીપ થયેલી એસટી બસ દિવાલ સાથે અથડાતા ડ્રાઇવર કંડકટર સહિત અગીયાર મુસાફરો ને ઇજા પહોંચતા સિવીલ હોસ્પિટલ ખસેડાયા હતા.બનાવ ના પગલે એસટી તંત્ર ના અધિકારીઓ અંડર બ્રીજ પાસે દોડી ગયા હતા.અને જોખમી અંડર બ્રીજ અંગે વિભાગીય નિયામક ને વાકેફ કર્યા હતા.

પ્રાપ્ત માહિતી મુજબ સાંજે પોણા ચાર ના સુમારે ડીસા થી જુનાગઢ જઈ રહેલી જુનાગઢ ડેપો ની બસ ગોંડલ આશાપુરા અંડર બ્રીજ મા  દિવાલ સાથે અથડાતા સર્જાયેલ અકસ્માત મા બસ ના ડ્રાઇવર ફારુકભાઇ સોલંકી ઉંદર 47 રે.જુનાગઢ, કંડકટર રફીકભાઇ આરીયાણી ઉ.ઉ.50 રે.જુનાગઢ,વિષ્ણુજી ઠાકોર ઉ 36 રે.પાટણ,મહાવીરસિહ જાડેજા ઉ.21 રે જામ ખંભાળીયા,ચંદુભાઇ રાવલ ઉ 68 રે.બીલખા,ભાર્ગવ હરવાણી ઉ.18 રે.માણાવદર,ચનાભાઇ ડોસાણી ઉ.38 રે.ફતેહપુર,કારીબેન ચનાભાઇ ઉ.35 રે.ફતેહપુર,રાહુલ ચનાભાઇ ઉ.17 રે.ફતેહપુર,પ્રતિક રાજકુમાર દુબે ઉ.26 રે.જુનાગઢ, રાજેન્દ્ર સોલંકી ઉ.17 રે.ગોંડલ ને ઇજા પહોંચતા તમામ ઇજાગ્રસ્તો ને ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા.

બસ અંડર બ્રીજ મા પ્રવેશી ત્યારે આગળ જતા વાહન ચાલકે બ્રેક મારતા બસ ડ્રાઇવરે પણ બ્રેક મારી હતી.પરંતુ બ્રીજ મા પાણી અને કીચડ જામેલા હોવાથી બસ સ્લીપ થઈ દિવાલ સાથે ધડાકાભેર અથડાઇ હતી.

આશાપુરા ફાટક પર ભોણ સમા બનેલા અંડર બ્રીજ સામે શરુઆત થી જ સવાલો ઉઠી રહયા છે.અંડર બ્રીજ મા આવેલી ગોળાઇ જોખમી બનશે તેવા અનુમાનો પણ થઈ રહ્યા હતા.અધુરા મા પુરુ બ્રીજ નીચે સતત પાણી ભરાયેલુ રહેતુ હોય શેવાળ અને કીચડ જામ્યા હોય વાહન ચાલકો સ્લીપ થઈ પડવા ના બનાવો છાસવારે બની રહ્યા છે.

સામાન્ય રીતે અંડર બ્રીજ મા વળાંક કે ગોળાઇ હોતી નથી.સાંકડા બનેલા અંડર બ્રીજ ની ગોળાઇ જોખમી બની હોવા થી એસટી બસો ને વારંવાર અહી અકસ્માતો નો ભોગ બનવુ પડે છે.આશાપુરા ફાટક પર ખરેખર તો ઓવરબ્રીજ બનાવવો જોઈએ પરંતુ તંત્ર દ્વારા કોઈ ’અગમ્ય’ કારણોસર ભોણ જેવો અંડર બ્રીજ બન્યો હોય જોખમી બની રહયો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.