પત્ની પાસેથી ફોન ઝૂંટવી પતિએ કહ્યું- તારા બાપે નથી આપ્યો ફોન, કેમ વધુ વાત કરે છે??

અમદાવાદમાં પુત્રવધૂ પર સાસરિયાના ત્રાસના કેસ દિવસે દિવસે વધી રહ્યા છે. શિક્ષિત કહેવાતા સમાજમાં પણ કરિયાવરનું દુષણ જાણે ઘર કરી રહ્યું હોય એવા કેસ જોવા મળી રહ્યા છે. પોલીસ ચોપડે દરરોજ સ્ત્રીઓ પર થતા માનસિક અને શારીરિક અત્યાચારની ફરિયાદ વધી રહી છે અને અમદાવાદ શહેરમાં પોતાના માતા પિતા સાથે વાત કરતી પત્ની પાસેથી ફોન ઝૂંટવી પતિએ કહ્યું હતું કે, તારા બાપે કરિયાવરમાં નથી આપ્યો, તું ફોન પર એમની સાથે વધારે વાતો કેમ કરે છે. પતિના આવા ત્રાસને કારણે મહિલાએ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે.

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં રહેતી એક મહિલાના લગ્ન સમાજના રીત રિવાજ અનુસાર થયા હતા અને ચારેક દિવસ સુધી સાસરિયાએ એમને સારી રીતે રાખી. પણ પછી પોતાનું અસલી રૂપ દેખાડવાનું શરૂ કરી દીધું. સાસુ તથા પતિએ મેણાટોણાં મારવાનું શરૂ કર્યું. તારા બાપના ઘરેથી અમારા કહેવા પ્રમાણે કંઈ લાવી નથી જોકે, કરિયાવરમાં સારી એવી સામગ્રી આપી હોવા છતા સાસરિયા પક્ષના લોકો વધારે પડતી માંગણી કરતા હતા. આ અંગે મહિલાને માનસિક ત્રાસ દેતા હતા. લગ્ન પછી મહિલા ફરવા માટે ગઈ ત્યારે પણ માતા પિતા સાથે ફોન પર વાત કરતી હતી. આ દરમિયાન પતિએ એના હાથમાંથી ફોન ઝૂંટવી લઈ, પત્નીને માર પાટુંનો માર મારી હડધૂત કરી દીધી હતી.

સાસુ અને પતિએ સાથે મળીને એનો સંસાર તોડી નાંખવાની વાત કરી હતી. સાસરિયામાં ત્રાસ વધી જવાને કારણે તે પોતાના પીયરમાં રહેવા માટે આવી ગઈ હતી.અને એ પછી પિતા અને ભાઈ પિતને સમજાવવા માટે ગયા હતા. એ સમયે પતિએ મહિલાના ભાઈ પર હાથ ઉપાડી લીધો હતો. પતિએ કહ્યું કે, અમારા કહેવા પ્રમાણે કંઈ તમે આપ્યું નથી.

તમારી દીકરીને અહીંથી લઈ જાવ, એ પછી મહિલાના પિતા અને ભાઈ ત્યાંથી નીકળી ગયા હતા. પછી પતિએ એવું કહ્યું કે જો તારે અહીંયા સાથે રહેવું હોય તો બધુ સહન કરવું પડશે. એવું કહીને ગંદી ગાળો ભાંડવા લાગ્યો હતો. એ પછી આક્રોશે ભરાયેલા પતિએ પત્નીને ઘરમાંથી કાઢી મૂકી હતી. કંટાળેલી પત્નીએ સાસરિયા અને પતિ સામે કાયદેસરની પોલીસ ફરિયાદ નોંધાવી છે અને ચાંદખેડા પોલીસે મહિલાને ફરિયાદ લઈને સાસુ તથા પતિની પૂછપરછ શરૂ કરી દીધી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.