ગુજરાતમાં બે વર્ષમાં 15000 નવજાત શિશુના મોત થયાનો રાજ્ય સરકારનો સ્વીકાર, અમદાવાદમાં સૌથી વધુ 4,322 મોત 

અમદાવાદઃ હાલ ચાલી રહેલા વિધાનસભા સત્રમાં ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં થયેલા બાળકોના મોત અંગે ખુલાસો થયો છે. કોંગ્રેસના ધારાસભ્યોએ પૂછેલા પ્રશ્નના જવાબમાં રાજ્યસરકારે છેલ્લા 2 વર્ષમાં સરકારી હોસ્પિટલમાં 71 હજાર 774 બાળકનો જન્મ થયો હતો અને તેમાના15 હજાર 13 નવજાત શિશુના મોત થયા હોવાનો સ્વીકાર કર્યો હતો. આમદરરોજ 20 બાળકોના મોત થઈ રહ્યાં છે. તેમાં પણ અમદાવાદની સરકારી હોસ્પિટલમાંસૌથી વધુ 4,322 બાળકના મોત થયા છે. મોતને ભેટેલા આ બાળકો સીક ન્યૂબોર્ન કેર યુનિટમાં દાખલ થયા હતા. આ મામલે વિધાનસભામાં ગંભીર પ્રત્યાઘાત પડ્યા હતા.

જ્યારે આરોગ્ય તપાસ દરમિયાન અમદાવાદ જિલ્લામાં બાળકોને ગંભીર બીમારી હોવાનો પણ ખુલાસો થયો છે. જેમાં 199 બાળકને હ્યદયની, 62ને કીડનીની અને 45 બાળકને કેન્સરની બીમારી હોવાનું બહાર આવ્યું છે.

અમદાવાદ સિવિલ, યુ.એન. મહેતા અને એચ.એલ. ત્રિવેદી હોસ્પિટલ મળીને ક્લાસ 1,2 અને 3ની કુલ મંજુર મહેકમ 1108માંથી 158 જગ્યાઓ ખાલી પડી છે.જ્યારે સિવિલ હોસ્પિટલમાં ક્લાસ-3માં 682 અને ક્લાસ-4 માં 1106 જગ્યાઓ આઉટસોર્સિંગથી ભરવામાં આવી છે.યુ.એન.મહેતામાં 1886 જગ્યાઓ કોન્ટ્રાક્ટ આધારિત ભરવામાં આવી છે. સિવિલ હોસ્પિટલમાં આઉટસોર્સિંગ કરતી 3 કંપનીઓને 2 વર્ષમાં રૂ. 48 કરોડની ચુકવણી કરવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.