વિજય રુપાણી ની મુંખ્યમંત્રી તરીકે ની આ છેલ્લી ઉતરાયણ હશે ?જાણો કોણ બની શકે છે નવા CM

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ એક સમારંભમાં કહ્યુ કે હું 20-20 રમવા આવ્યો છું. અડધી પીચ ઉપર રમતા મને આવડે છે. વિજય રૂપાણીના આ નિવેદન અને ગુજરાત ભાજપમાં ચાલી રહેલી અટકળો પ્રમાણે ઉત્તરાયણ બાદ ગુજરાત સરકારમાં ફેરફારના એંધાણ મળી રહ્યા છે. જેના કારણે મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણીની આ છેલ્લી ઉત્તરાયણ હોવાની પણ ચર્ચા છે. વિજય રૂપાણી માણસ તરીકે સજ્જન હોવા છતાં તેમની સજ્જનતા ભાજપના ગ્રાફને નીચે જતો અટકાવી શકતી નથી. મંત્રીમંડળ ઉપર તેમની પક્કડ ઠીલી પડતી જવાની અને જેના કારણે પ્રદિપસિંહ જાડેેજા જેવા જુનિયર મંત્રીઓ મુખ્યમંત્રીના આદેશ માનતા નહીં હોવાની વાત છે. અમીત શાહ સાથે ઘરોબો હોવાને કારણે જાડેજા વિજય રૂપાણી તેમના આદેશોની અવગણના કરી પોતાની મનમાની કરે છે આવી ફરિયાદ સિનિયર મંત્રીઓ પણ વિજય રૂપાણીને કરી ચુકયા છે.

2017માં વિજય રૂપાણીને ફરી સત્તાના સુકાન સોંપ્યા પછી વિજય રૂપાણીને અંદર અને બહારના બે મોર્ચે એક સાથે લડવાનું હતું. કોંગ્રેસ નબળી હોવા છતાં ભાજપનું અસંતુષ્ટ જુથ રૂપાણી સફળ થાય નહીં તેવા સતત પ્રયત્નમાં રહ્યુ છે. અમીત શાહ અને નરેન્દ્ર મોદી માનતા હતા કે સમય વિજય રૂપાણીને શીખવાડી દેશે અને રૂપાણી પ્રતિકુળતાને અનુકુળતામાં ફેરલી નાખશે, પણ તેવુ થયુ નહીં. બીજી તરફ ભાજપ તરફ એક પછી એક રાજયોમાં સત્તા ગુમાવી રહ્યુ છેે. પોતાનું હોમગ્રાઉન્ડ ગુમાવવાનું પાલવેે તેમ નથી. હજી ગુજરાતમાં ચુંટણીનેે ત્રણ વર્ષની વાર છેેે. આમ છતાં નવા મુખ્યમંત્રીને જો પુરતો સમય મળે નહીં તો તેની પાસેે પણ ચમત્કારની અપેક્ષા રાખી શકાય નહીં. પરિણામસ્વરૂપ જો ફેરફાર કરવો છે તો આ સમય જ યોગ્ય છે જેના કારણે તે દિશામાં માનસિક કવાયત શરૂ થઈ ગઈ છે.

વિજય રૂપાણીને હટાવી કોઈને મુકવા જ પડે તો કોણ, તેે વિષય હાથ ઉપર લેવામાં આવ્યો ત્યારે સૌથી પહેલા પટેલ નેતાઓનો ક્રમ આવે છે. જો કે પહેલા જેમના નામની ચર્ચા હતી તેમાંથી આનંદીબહેન પટેલ અને પુરૂષોત્તમ રૂપાલાની હવે બાદબાકી થઈ છે. હવે પટેલ નેતાઓ મનસુખ માંડવીયા આગળ ચાલી રહ્યા છે. તેમના ટેકેદારો આ અંગે ખાતરીપુર્વક તેઓ જ મુખ્યમંત્રી થશે તેવુ કહી રહ્યા છે. જો કે તેમની સજ્જનતા પણ વિજય રૂપાણી જેવી જ છે. પુર્વ ગૃહમંત્રી પ્રફુલ પટેલ બીજા ક્રમે છે. દિવ-દમણના એડમીનીસ્ટ્રેટર તરીકે હવે તેમણે ભાજપના ખાસા સ્થાનિક નેતાઓને નારાજ કરી ખરો વહિવટકર્તા કેવો હોય, તેનું ઉદાહરણ પુરૂ પાડયુ છે. તેઓ અમીત શાહ અને નરેન્દ્ર મોદીના નજીકના પણ છે. જો કે તેમની કામ કરવાની પધ્ધતી અલગ હોવાને કારણ પટેલોમાં તેઓ એટલા પ્રિય નથી. તેઓ જાતીવાદી રાજકારણને મહત્વ આપતા નથી. જે રાજકારણમાં તેેમની નબળી બાજુ કહેવાય. ત્રીજા ક્રમે મંત્રી કૌશીક પટેલ છે.એકદમ લો પ્રોફાઈલ અને જમીની નેતા છે. કૌશીક પટેેલને સરકારની સારી સમજ છે અને અમીત શાહે પોતાની બેઠક ખાલી કરી તેમને આપી એટલે તેમના ભરોસાના માણસ પણ છે.

પણ આ બધામાં નરેન્દ્ર મોદી કાયમ અનઅપેક્ષિત કરવા ટેવાયેલા છે. જેમના નામની ચર્ચા જ ન હોય અથવા ગુજરાત વિધાનસભાનો સભ્ય પણ ના હોય તેવી વ્યકિતને પણ મોદી મુખ્યમંત્રી બનાવી શકે છે. સૂત્રોની જાણકારી પ્રમાણે વડોદરાના ભાજપના એક નેતા જેમને કદાચ ભાજપના નેતાઓ પણ જાણતા નથી, તેવા અમીત નામના એક સાવ સામાન્ય નેતાનું નામ પણ ચર્ચામાં છેે. આખરે મોદી હૈ તો કુછ ભી મુમકીન હૈ તેવું કહેવું પડે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.