ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 965 કેસ, 20ના મોત, 877 દર્દીઓ સ્વસ્થ થયાં

ગુજરાતમાં કોરોનાની સંક્રમણ યથાવત્ છે. દરરોજ નોંધાતા પોઝિટિવ કેસનો આંકડો દરરોજ નવા રેકોર્ડ બનાવે છે. આજે કોરોનાના પોઝિટિવ કેસનો આંકડો 900ને પાર રહ્યો. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા 24 કલાકમાં નોંધાતા કેસોની આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કુલ 965 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે અને 20 દર્દીઓના મોત થયાં છે. રાજ્યમાં કુલ 2,147 દર્દીઓના મોત થયાં છે. રાજ્યમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 48,441 થઈ છે. તેમજ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 877 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયાં છે.

આજે નોંધાયેલા કુલ 960 કેસમાંથી અમદાવાદમાં 212, સુરતમાં 285, વડોદરામાં 79, રાજકોટ 49 પોઝિટિવ કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં  34,881 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં મૃતકોનો આંકડો  2,147 થયો છે.

જિલ્લાઓમાં નોંધાયેલા કેસોની વિગત

અમદાવાદ 212
સુરત 285
વડોદરા 79
ગાંધીનગર 30
ભાવનગર 35
બનાસકાંઠા 21
આણંદ 7
રાજકોટ 49
અરવલ્લી 4
મહેસાણા 22
પંચમહાલ 16
બોટાદ 2
મહીસાગર 5
ખેડા 12
પાટણ 14
જામનગર 10
ભરૂચ 18
સાબરકાંઠા 10
ગીર સોમનાથ 2
દાહોદ 19
છોટા ઉદેપુર 1
કચ્છ 19
નર્મદા 3
વલસાડ 14
નવસારી 11
જૂનાગઢ 15
પોરબંદર 1
સુરેન્દ્રનગર 15
મોરબી 9
તાપી 12
અમરેલી 13
કુલ 965

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.