ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 1120 કેસ, 20ના મોત 959 સ્વસ્થ થયાં

રાજ્યમાં કોરોનાના પોઝિટિવ કેસોનો આંકડો હજાર-અગિયારસો આસપાસ રહે છે. રાજ્યમાં સંક્રમણ ધીમી ગતિએ વધી રહ્યું છે સાથે જ સ્વસ્થ થનારા દર્દીઓનો આંકડો રાહત આપનારો છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા 24 કલાકમાં નોંધાતા પોઝિટિવ કેસના આંકડાઓ જાહેર કરવામાં આવ્યા.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કુલ 1120 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે અને 20 દર્દીઓના મોત થયાં છે. રાજ્યમાં કુલ 2787 દર્દીઓના મોત થયાં છે. તેમજ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 959 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયાં છે. રાજ્યમાં કોરોનાના કુલ દર્દીઓનો આંકડો  78,783 થયો છે. રાજ્યામાં હાલ 14,500 એક્ટિવ કેસ છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.