ગુજરાતમાં કોરોનાની રફ્તાર વધી, છેલ્લા 24 કલાકમાં 580 નવા કેસ નોંધાયા, 25ના મોત

રાજ્યમાં કોરોના સંક્રમણની ગતિ વધી રહી છે. ગુજરાતમાં દરરોજ 500થી વધારે નોંધાઈ રહેલા પોઝિટિવ કેસોથી રાજ્યમાં કોરોનાનો આંકડો ચિંતાજનક સ્તરે પહોંચી રહ્યો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં નોંધાતા કેસનો આંકડો સૌથી વધારે રહ્યો. રાજ્ય સરકારના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નોંધાયેલા પોઝિટિવ કેસોની જાણકારી આપવામાં આવી.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 580 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે અને 25 દર્દીઓના મોત થયાં છે અને કુલ મૃત્યુઆંક 1664 થયો છે. રાજ્યમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 27,317 થઈ છે. તેમજ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 655 દર્દીઓ સ્વસ્થ થયાં છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કુલ 580 પોઝિટિવ કેસમાંથી અમદાવાદમાં જ 273, સુરતમાં 176, વડોદરામાં 41, ગાંધીનગરમાં 15, ભરૂચમાં 10 પોઝિટિવ કેસો નોંધાયા છે. રાજ્યમાં નોંધાયેલા કુલ કેસોમાંથી હાલ 59 લોકો વેન્ટિલેટર પર છે. જ્યારે 6237 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 19357 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં મૃતકોનો આંકડો 1664 થયો છે.

જિલ્લાઓમાં નોંધાયેલા કેસોની વિગત

અમદાવાદ 273
સુરત 176
વડોદરા 41
ગાંધીનગર 15
ભરૂચ 10
અરવલ્લી 9
ભાવનગર 8
જામનગર 8
વલસાડ 5
આણંદ 4
રાજકોટ 4
પંચમહાલ 4
પાટણ 4
અમરેલી 4
બનાસકાંઠા 3
સાબરકાંઠા 3
મહેસાણા 2
જૂનાગઢ 2
બોટાદ 1
ખેડા 1
દાહોદ 1
દેવભૂમિ દ્વારકા 1
સુરેન્દ્રનગર 1

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.