ગુજરાતમાં કોરોનાએ વધુ સ્પીડ પકડી, 24 કલાકમાં અધધધધ કોરોના ઝપટે ચડ્યા અને મૃત્યુ તો…

સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીએ કરોડોનું નુકશાન કરાવ્યું છે અને વિશ્વમાં રોજના હજારો લોકો મૃત્યુ પામે છે. એવામાં હવે સૌરાષ્ટ્રમાં કોરોના વાયરસ દાવાનળની જેમ ફેલાઈ રહ્યો છે. અનેક જિલ્લાઓમાં રોજેરોજ નવા કેસ આવી રહ્યાં છે.

મુખ્ય વાત એ છે કે, અનેક જિલ્લાઓમાં બહારથી આવનારા લોકો કોરોના વાયરસના શિકાર વધુ બની રહ્યાં છે. અન્ય જિલ્લાઓમાંથી રાજકોટ, ભાવનગર, જામનગર, અમરેલી, જુનાગઢ જેવા જિલ્લાઓમાં પહોંચેલા લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ નીકળી રહ્યાં છે.

હવે ગુજરાતની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં કોવિડનાં વધુ 540 કેસો નોંધાતા લોકો ચકિત થઇ ગયા છે. જ્યારે એક દિવસમાં 27 દર્દીઓનાં મોત નિપજ્યા છે. અને 340 જેટલાં દર્દીઓ તબિયત સુધરી ગઈ છે. આમ જોઈએ તો ગુજરાતમાં કોવિડ 19 પોઝિટિવનો કુલ આંક 26198, મોતનો કુલ આંક 1619 અને ડિસ્ચાર્જનો કુલ આંક 18167 પર પહોંચ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.