ગુજરાતના પરપ્રાંતીયોઓને સ્વીકારવાનો 5 રાજ્યોનો ઈન્કાર, યોગી સરકારે બસોને એન્ટ્રી જ ન આપી

કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉનમાં ફસાયેલા લોકોને પોતાના રાજ્યમાં જવાની છૂટછાટ આપતા લોકોમાં હરખાયા છે. ગુજરાતમાં સૌથી વધુ માઈગ્રન્ટ્સ સુરત શહેરમાં છે. ત્યારે સુરતથી યુપી પોતાના વતન જવા નીકળેલા શ્રમિકોની હાલત પડ્યા પર પાટુ જેવી થઈ હતી. આ શ્રમિકો વતન જવા તો નીકળ્યા હતા, પણ યુપીમાં તેમની બસને એન્ટ્રી આપવામાં ન આવી. યુપી સરકાર દ્વારા કેટલીક બસોને ગુજરાત રિટર્ન કરવામાં આવી છે. આ કારણથી શ્રમિકોમાં રોષનું વાતાવરણ જોવા મળ્યું છે. કારણ કે, એક-એક શ્રમિકે 2 થી 4 હજાર વતન જવા માટે ચૂકવ્યા હતા

બીજી તરફ, બે દિવસમાં સુરત છોડવાનો આદેશ આપતા પોલીસના વીડિયો વાયરલ થયા છે. વીડિયોમાં સુરત જિલ્લા પોલીસ ચેતવણી આપી રહી છે. આ કારણે પરપ્રાંતિઓમાં અફવા ફેલાઈ છે. વીડિયોમાં કહેવાઈ રહ્યું છે કે, બે દિવસ બાદ કોઈને જવા દેવામાં નહિ. વધારે રૂપિયા આપીને પણ પરપ્રાંતીયો વતન લોકો ચાલ્યા જાય. બે દિવસ બાદ ઘરની બહાર નહીં જવા દેવાય. જમવાનું આપવાનું પણ બંધ કરવામાં આવ્યું. જે ગાડી મળે તેમ વતન જવાનું ફરમાન કરાયું. આ બીકને માર્યે લોકો ટેમ્પો, ટ્રકમાં બેસીને વતન તરફ જવા રવાના થયા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.