ગુજરાત રાજ્યમાં પોઝિટિવ કેસો પૈકી 89 % કેસો અમદાવાદ, સુરત અને વડોદરાના

– સવારે 10થી સાંજના 5 સુધી અપાઈ રહેલું માર્ગદર્શન : 31 જિલ્લાના નાગરિકો લાભ લઈ રહ્યા છે.

આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડૉ. જયંતી રવિએ જણાવ્યું છે કે, રાજ્યમાં પ્રવર્તી રહેલ કોરોના વાયરસના સંક્રમણે અટકાવવા માટે રાજ્યનું વહીવટી તંત્ર સતત પ્રયત્નશીલ અને પ્રતિબધ્ધ છે. રાજ્યમાં જે પોઝીટીવ કેસો નોંધાયા છે તે પૈકી 89 ટકા કેસો અમદાવાદ, સુરત અને વડોદરાના છે.

ડૉ. રવિએ ઉમેર્યું કે, રાજ્યમાં જે પોઝીટીવ કેસો નોંધાયા છે તેમાં અમદાવાદના 65 ટકા, સુરતના 16 ટકા અને વડોદરાના 8 ટકા કેસોનો સમાવેશ થાય છે. ઉપરાંત 27 જિલ્લામાં 11 ટકા પોઝીટીવ કેસો છે અને અમરેલી, દેવભૂમિ દ્વારકા અને જૂનાગઢ મળી કુલ ત્રણ જિલ્લામાં એકપણ પોઝીટીવ કેસ નોંધાયો નથી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.