ગુજરાત કોરોનાઃ છેલ્લા 24 કલાકમાં 372 કેસ-20નાં મોત, 608 દર્દીઓ સાજા થયા

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 372 પોઝિટિવ કેસ નોંધાયા છે. અને તેમાં અમદાવાદમાં પણ 253 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે આજના દિવસમાં સૌથી વધુ 608 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવી છે. આજે રાજ્યમાં 20 વ્યક્તિઓનાં કોરોનાને કારણે નિધન થયા છે. આજે અમદાવાદમાં 18 અને સુરતમાં 2 વ્યક્તિઓનાં મોત નિપજયા છે. આમ રાજ્યમાં કોરોનાનાં મોતનો કુલ આંક 980 થયો છે. આમ રાજ્યમાં કોરોનાનો પોઝિટિવ કુલ કેસોનો આંક 15944 છે. અને કુલ ડિસ્ચાર્જનો આંક 8609 છે.

રાજ્યમાં 372 નવા કેસમાં અમદાવાદમાં 253, સુરત 45, વડોદરા 34, ગાંધીનગર 8, મહેસાણા-છોટાઉદેપુર 7-7, કચ્છ 4, નવસારી 2 નોંધાયા હતા. જ્યારે રાજકોટ, અરવલ્લી, પંચમહાલ, મહીસાગર, ખેડા, ભરૂચ, સાબરકાંઠા, વલસાડ, જૂનાગઢ, સુરેન્દ્રનગર અને અન્ય રાજ્યમાં એક-એક કેસ નોંધાયા હતા.

આમ રાજ્યમાં કુલ આંક 16 હજારને નજીક એટલે કે 15944 પર પહોંચી ગયો છે. જેમાંથી હાલ 6355 એક્ટિવ કેસ છે, 68 વેન્ટિલેટર પર તો 6287 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાં કુલ 8609 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અને કુલ મોત 980 થયા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.